મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ જગ્યાએ 20 લોકોના મોત, અડધાથી વધારે ડુબ્યા
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટથી શરૂ થયેલો 10 દિવસનો ગણેશ ઉત્સવ શુક્રવારે તેમની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થયો હતો.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે વર્ધા જિલ્લાના સાવંગીમાં ત્રણ લોકો ડૂબી ગયા છે, જ્યારે દેવલીમાં એક વ્યક્તિનું મોત થયું છે. યવતમાલ જિલ્લામાં પણ મૂર્તિ વિસર્જન દરમિયાન બે લોકોના મોત થયા છે. અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડીમાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો ડૂબી ગયા, જ્યારે જલગાંવમાં પણ બે લોકોના મોત થયા.
રાયગઢ જિલ્લાના પનવેલ ખાતે એક સરઘસ દરમિયાન વીજળી પડતાં નવ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે વડઘર કોલીવાડા ખાતે પાવર જનરેટરનો કેબલ તૂટી જતાં આ ઘટના બની હતી. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
10-દિવસીય ઉત્સવ શુક્રવારે પૂરો થયા બાદ શનિવારે સવાર સુધી મુંબઈના વિવિધ જળાશયોમાં ભગવાન ગણેશની 38,000 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ હજુ પણ વિસર્જનની સરઘસ ચાલી રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
