Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બાબરી મસ્જિદ ધ્વંસ: 20 સાલ બાદ, અયોધ્યામાં કડક સુરક્ષા

અયોધ્યા, 6 ડિસેમ્બર: અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદ ધ્વંસને આજે 20 વર્ષ પુરા થતાં ભારત-નેપાળ બોર્ડર પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ આ 6 ડિસેમ્બરને શૌર્ય દિવસના રૂપમાં મનાવતાં આજે અહીં સંત સંમેલન યોજવામાં આવી રહ્યું છે તો મુસ્લિમ સંગઠન ધંધા રોજગાર બંધ કરીને યૌમેગમ દિવસ મનાવે છે.

વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર સંત સંમેલનમાં વિવાદિત ધર્મસ્થળ પર આજે ભવ્ય રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે-સાથે કાશી અને મથુરાની મુક્તિનો પણ સંકલ્પ કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના મિડીયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે દેશભરમાં વિવિધ સ્થળોએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળના કાર્યકર્તા હિન્દુ સમાજને અપીલ કરશે કે તે મઠ મંદિરો અને ઘરોમાં દિવા પ્રગટાવીને પૂજા-પાઠ કરીને અયોધ્યામાં વિવાદિત શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણનો સંકલ્પ કરશે.

ayodhya

બીજી તરફ બાબરી મસ્જિદ એક્શન કમીટીના અનુસાર આજે મુસ્લિમ સંગઠનના લોકો પોતાની દુકાનો બંધ કરીને યૌમેગમ દિવસ મનાવશે તથા બાબરી મસ્જિદના પુનનિર્માણ માટે દુવા કરશે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના પ્રદેશ અધ્યક્ષ ડૉ. નજમૂલ હસન ગનીએ જણાવ્યું હતું કે 6 ડિસેમ્બરે મુસ્લિમ સમુદાય કાળા દિવસ તરીકે મનાવશે. તથા જિલ્લાધિકારીના માધ્યમથી વડાપ્રધાનને એક અરજી આપશે જેમાં પૂર્વ વડાપ્રધાન મંત્રી પીવી નરસિંહ રાવે બાબરી મસ્જિદને તે સ્થળ પર પુન નિર્માણ કરવાની જાહેરાતને પુરી કરવાની માંગણી કરવામાં આવશે.

સુરક્ષાને ધ્યાનમાં રાખતાં અયોધ્યા-ફૈજાબાદને 6 જોન અને 12 સેક્ટરોમાં વહેંચવામાં આવી છે જેમાં મેજિસ્ટ્રેટોને નિમવામાં આવ્યાં છે. સ્થાનિક પોલીસને છોડીને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ગોઠવવામાં આવ્યાં છે. અયોધ્યા અને ફૈજાબાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જિલ્લા અધિકારી અજય કુમાર શુક્લ અને વરિષ્ઠ પોલીસ અધિકારી ધમેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પોલીસ ટુકડી સિવાય બે એએસપી, 10 ડીએસપી, 60 ઉપનિરીક્ષક, 200 સિપાહી, પાંચ કંપની પીએસી અને બે કંપની આરપીએફને ગોઠવવામાં આવ્યાં છે. આ સિવાય આગામી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભારત-નેપાળ સીમા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળની બોર્ડર પર અવર-જવર કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X