બર્નિંગ ટ્રેન: બેંગલોર- નાંદેડ એક્સપ્રેસમાં આગ, 23ના મોત
હૈદરાબાદ, 28 ડિસેમ્બર: મહારાષ્ટ્રના નાંદેડ માટે બેંગલોર થી રવાના થયેલી નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ લાગી ગઇ. શનિવારે સવારે બનેલી આ ઘટનામાં 23 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે અન્ય 35 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં 10ની હાલત ખૂબ જ ગંભીર છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે ટ્રેન આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાથી પસાર થઇ રહી હતી.
ટ્રેન શુક્રવારે રાત્રે 11 વાગ્યે બેંગલોરથી રવાના થઇ હતી. રાત્રે ભોજન બાદ લગભગ તમામ યાત્રીઓ સુઇ ગયા હતા. સવારે લગભગ 3.30 વાગે જ્યારે ટ્રેન અનંતપુરથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક એસી કોચમાં આગ લાગી ગઇ હતી. આગ લાગતા જ તુરંત ધર્માવરમની પાસે અન્ય શહેરોથી ફાયર બ્રિગેડની ગાડિયો ઘટના સ્થળ પહોંચવા રવાના થઇ ગઇ. પરંતુ જ્યાં સુધી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચતા ત્યાં સુધી બોગી સળગીને રાખ થઇ ગઇ હતી.
આગ લાગવાથી ટ્રેનમાં નાસભાગ મચી ગઇ હતી, જેના પગલે કેટલાંક લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જે લોકો ઉઠી શક્યા નહીં તે લોકો મોતને ભેટ્યા હતા.
હેલ્પલાઇન નંબર આ પ્રમાણે છે:-
બેંગલોર સ્ટેશન: 080-22354108, 22259271, 22156551, 22156554
એસએસપી નિલાયમ સ્ટેશન: 085-55280125, 09731666863

નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ
નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ.

નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ
નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ

નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ
નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ

નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ
નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ

નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ
નાંદેડ-બેંગલો એક્સપ્રેસના એસી કોચમાં આગ












Click it and Unblock the Notifications
