હાથરસની ઘટનાના વિરોધમાં વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
હાથરસની ઘટનાના વિરોધમાં વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
નવી દિલ્હીઃ હાથરસમાં દલિત યુવતી સાથે થયેલ હેવાનિયતની ઘટના બાદ યુપીના ગાઝિયાબાદ જિલ્લામાં વાલ્મીકિ સમુદાયના 236 લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. મામલા ગાજિયાબાદના કરહૈડા ગામનો છે, જ્યાં વાલ્મીકિ સમુદાયના લોકોએ પોતાની સાથે ભેદભાવ અને જાતીય ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને ડૉ બીઆર આંબેડકરના પરપોતા રાજરત્ન આંબેડકરે તેમને ધર્મની દીક્ષા અપાવી. બૌદ્ધ ધર્મમાં સામેલ થનાર આ તમામ લોકોએ ગૌતમ બુદ્ધની 22 પ્રતિજ્ઞાઓ પણ વાંચી.

ધી પ્રિન્ટના અહેવાલ મુજબ બૌદ્ધ ધર્મમાં સામેલ થયેલ આ લોકોએ આરોપ લગાવ્યો કે તેમના ગામમાં સવર્ણ સમાજના લોકો બહુસંખ્યક છે, જે કારણે તેમની સાથે ભેદભાવ કરવામા આવે છે. ગ્રામીણોએ જણાવ્યું કે કરહૈડા ગામમાં કુલ 9000 લોકોની વસ્તી છે, જેમાંથી 5000 લોકો સવર્ણ સમાજથી છે, 2000 લોકો વાલ્મીકિ સમાજથી અને અન્ય 2000 લોકો બહારથી આવ્યા છે. વાલ્મીકિ સમાજના લોકોએ એમ પણ જણાવ્યું કે તેઓ ઘણા દિવસથી આ બધું સહી રહ્યા હતા, પરંતુ હાથરસમાં તેમના સમુદાયની છોકરી સાથે જે કંઈપણ થયું અને આ મામલે પ્રશાસને જેવી રીતનું વલણ અપનાવ્યું, તે બાદ તેમની ધીરજ ટૂટી અને તેમણે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવવાનો ફેસલો લઈ લીધો.
હિન્દુ સમાજના લોકો અમને અપનાવતા નહોતા
પવન વાલ્મીકિ નામના શખ્સે કહ્યું કે, હાથરસની ઘટના બાદ યોગી સરકારમાં અમારો ભરોસો નથી રહ્યો. હિન્દુ સમાજના લોકો અમને ખુદના નથી માનતા અને મુસ્લિમ સમાજ અમને ક્યારેય સ્વીકારશે નહિ. હાથરસમાં જે થયું, તે બાદ અમને અહેસાસ થઈ ગયો કે સરકાર અમને ક્યારેય નહી સ્વીકારે અને અમારી મદદ ક્યારેય નહિ કરે. તો અમારી સામે શું વિકલ્પ બચે છે?
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
