2જી કેસના સાક્ષી બનશે અનિલ અને ટીના અંબાણી
નવી દિલ્હી, 18 જુલાઇ: 2જી કેસમાં પટિયાલા હાઉસની વિશેષ કોર્ટે શુક્રવારે સીબીઆઇની અરજી પર રિલાયન્સના અનિલ અંબાણી અને ટીના અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની પરવાનગી આપી દિધી છે. અનિલ અને ટીના અંબાણીને કોર્ટમાં હાજર થઇને હવે આ કેસમાં સાક્ષી આપવી પડશે. સીબીઆઇએ બંનેને સાક્ષી તરીકે રજૂ કરવાની પરવાનગી આપી દિધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન વકીલ યૂયૂ લલિતે કહ્યું હતું કે અનિલ અંબાણીને સ્વાન ટેલિકૉમમાં રિલાયન્સ એડીએજી કંપનીઓ 990 કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરવા વિશે જાણ હતી. અનિલ અંબાણી એડીએજીના ચેરમેન છે.
તેમની કંપની રિલાયન્સ ટેલિકૉમના ત્રણ સીનિયર અધિકારીઓને 2જી મુદ્દે ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમના પર સ્વાન ટેલિકૉમના માધ્યમથી લાયસન્સ પ્રાપ્ત કરવા અને નક્કી કરેલા કોટાથી વધુ સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરવાનાના આરોપો છે. તપાસ એજન્સીનું કહેવું છે કે એડીએજી સમૂહના અધ્યક્ષ અનિલ અંબાણી એવા વ્યક્તિ છે, જે રોકાણ સંબંધિત પાસાઓ પર પ્રકાશ પાડી શકશે.