પૌડી ગઢવાલમાં થયેલા બસ આકસ્માતમાં 32 લોકોના મોત, 20 ઘાયલ
ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ગત રાત્રે પૌડી ગઢવાલ જિલ્લાના ઘુમકોટના બિરોખાલમાં થયેલા બસ અકસ્માત 32 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડ, 05 ઓકટોબર : ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ગત રાત્રે પૌડી ગઢવાલ જિલ્લાના ઘુમકોટના બિરોખાલમાં થયેલા બસ અકસ્માત 32 લોકોના મોત થયા છે.
આ સાથે આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને એસડીઆરએફની ટીમે 21 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યા તેમની સારવાર ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ બસમાં 50 લોકો સવાર હતા.
પૌડી જિલ્લાના ધુમકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિમડી ગામ પાસે બસ ડ્રાઇવરે સ્ટિંયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે કારણે ખીણમાં ખાબકી હતી. આ બસ હરિદ્વાર જિલ્લાના લાલધાંગથી પૌડી જિલ્લાના બિરખાલ બ્લોક જઈ રહી હતી. આ બસ લગ્નની જાન લઇને જઈ રહી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ધુમકોટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા.
આ સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટર પર જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે : વડાપ્રધાન મોદી.
આ અકસ્માત બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં સર્જાયેલા બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ મોટી ખોટ સહન કરવાની શક્તિ આપે. જેઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે, હું આશા રાખું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.