આગ્રામાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે 4 લોકોની મૌત, 5 ઘાયલ
ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં મોડી રાત્રે ઘરમાં ધમાકાને કારણે 4 લોકોની મૌત થઇ ગયી છે. જયારે 5 લોકોની ખુબ જ ખબર રીતે ઘાયલ થઇ ગયા છે.
ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં મોડી રાત્રે ઘરમાં ધમાકાને કારણે 4 લોકોની મૌત થઇ ગયી છે. જયારે 5 લોકોની ખુબ જ ખબર રીતે ઘાયલ થઇ ગયા છે. આ દુર્ઘટના ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે થયી છે. આ ઘટના આગ્રા શહેરના ઈરાદાત નગર વિસ્તારમાં થયી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે.

ઘાયલ થયેલા લોકોને આગ્રા સરોજની નાયડુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. જગ્યા પર પ્રશાસનિયાં અધિકારી અને ભાજપા વિધાયક મહેશ ગોયલ પહોંચી ચુક્યા છે. આખો મામલો ઈરાદાત નગરનો છે, જ્યાં ગામમાં હિમ્મતસિંહના ઘરે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જમવાનું બનાવતા સમયે અચાનક સિલિન્ડરમાં આગ લાગી ગયી. ત્યારપછી હિમ્મતસિંહ અને પરિવારના બીજા લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ સિલિન્ડર બ્લાસ્ટ થઇ ગયો. બચાવવા માટે ગયેલા ગામના લોકો પણ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી મકાનના કાટમાળ નીચે દબાઈને ઘાયલ થઇ ગયા.
ભાજપા વિધાયક મહેશ ગોયલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એસડીએમ જગ્યા પર આવી ચુક્યા છે. ડીએમ ઓફિસમાં એમ્બ્યુલન્સ માટે જણાવી દેવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ સમય પર કેમ નહીં આવી તેની અમે તપાસ કરાવીશુ.












Click it and Unblock the Notifications
