For Daily Alerts
2030 સુધી શહેરોમાં રહેવા લાગશે આપણી 40% જનસંખ્યાઃ હરદીપ સિંહ પુરી
આત્મનિર્ભર ભારત પર મંગળવારે આયોજિત માં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્માર્ટ સિટી મિશન વિશે માહિતી આપી.
નવી દિલ્લીઃ આત્મનિર્ભર ભારત પર મંગળવારે આયોજિત CII-Webinarમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્માર્ટ સિટી મિશન વિશે માહિતી આપી. તેમણે આશા વ્યક્ત કરી કે 2030 સુધી આપણા શહેરી કેન્દ્રોમાં આપણી જનસંખ્યાના 40 ટકા ભાગ રહેવા લાગશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે 2030 સુધી વધતી જનસંખ્યાને જોતા ભારતને શહેરી વિકાસ કરવો પડશે અને 600થી 800 મિલિયન વર્ગ મીટરના શહેરી વિસ્તારનુ નિર્માણ કરવુ પડશે.
આના માટે 100 સ્માર્ટ સિટીમાં બે લાખ કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની 5,151 યોજનાની ઓળખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી લગભગ 4700 સ્કીમના ટેન્ડર કાઢવામાં આવી ચૂક્યા છે. આની કિંમત 1.66 લાખ કરોડ રૂપિયા છે. આ આંકડો આખા પ્રોજેક્ટના લગભગ 81 ટકા છે.
20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે PM
Comments
English summary
40 per cent of India's population will live in urban regions by 2030: Hardeep Singh Puri
Story first published: Tuesday, August 18, 2020, 17:55 [IST]