મહારાષ્ટ્રમાં ડૉન દાઉદ ઈબ્રાહિમની 6 સંપત્તિની હરાજી થઈ
મહારાષ્ટ્રમાં ડૉન દાઉદ ઈબ્રાહિમની 6 સંપત્તિની હરાજી થઈ
મુંબઈઃ ઘણા સમયથી ફરાર ભારતના મોસ્ટ વૉન્ટેડ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલી 6 જેટલી સંપત્તિની હરાજી કરવામાં આવી છે. જેની કિંમત 23 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. જેની કિંમત 32 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

સત્તાવાર સૂત્રો મુજબ સફળ બોલી લગાવનારાઓમાં વકીલ અજય શ્રીવાસ્તવ અને સુપ્રીમ કોર્ટના અધિવક્તા ભૂપેન્દ્ર ભારદ્વાજ સામેલ છે જે અહીં ઑનલાઈન ઑફલાઈન અને સીલબંધ સીલબંધ ટેન્ડર નીલામી આયોજિત કરવામાં આવી.
મોટાભાગની સંપત્તિઓમાં વધુ પડતી નાની સંપત્તિ સામેલ છે. જેમાંથી કેટલીય સંપત્તિઓ જર્જર અને ખરાબ હાલતમાં છે. SAFEMA અંતર્ગત તંત્રએ આ વર્ષે ભાગેડૂ ડૉનની તમામ 13 જપ્ત સંપત્તિઓની હરાજી કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોવિડ 19 મહામારી અને તે બાદ લૉકડાઉનને જોતાં આ યોજના સ્થગિત કરી દેવામા આવી, દાઉદના પૂર્વ પ્રમુખ સહયોગી ઈકબાલ મેમણ ઉર્ફ ઈકબાલ મિર્ચીના મુંબઈના બે ફ્લેટ પણ એક સાથે નીલામ કરવામાં આવી રહ્યા છે.
જણાવી દઈએ કે કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં એનઆઈએએ બુધવારે કોર્ટમાં અંડરવર્લ્ડ ડૉન અને મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમની ભૂમિકા હોવાની સંભાવના જતાવી હતી. ઈન્ટેલિજેંસ મુજબ સ્મગલિંગ દ્વારા જે સોનું આવતું હતું તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ ગતિવિધિઓમાં થતો હતો. આ મામલે આરોપીની જામીન અરજીનો એનઆઈએએ કોર્ટમાં વિરોધ કર્યો છે. જણાવી દઈએ કે આ સમગ્ર મામલો જુલાઈ મહિનામાં સામે આવ્યો હતો, જેમાં 30 કિલો ગોલ્ડ સ્મગલ કરી કેરળ પહોંચ્યો હતો, જેને તિરૂવનંતપુરમ એરપોર્ટ પર સીઝ કરી લેવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
