સીએમ શિવરાજને મળવા માટે ટાવર પર ચઢ્યો ખેડૂત, જાણો કારણ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખેડૂત શિવરાજ સરકારથી નારાજ થઈને ટાવર પર ચઢી ગયો છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખેડૂત શિવરાજ સરકારથી નારાજ થઈને ટાવર પર ચઢી ગયો છે. ખેડૂતનું કહેવું છે કે તેની પાંચ એકડ જમીન ડૂબના વિસ્તારમાં આવી ગઈ તેના માટે વળતળ લેવા તે ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી મંત્રીઓ અને અલગ અલગ વિભાગના ચક્કર કાપી રહ્યો છે પરંતુ હજુ સુધી તેને કઈ પણ મળ્યું નથી. વળતળ આપવાની માંગ લઈને ટાવર પર ચઢેલા ખેડૂતને 2 કલાક પછી એસડીઈઆરએફ ટીમે જબરજસ્તી નીચે ઉતાર્યો.
મળતી જાણકારી અનુસાર, ભોપાલના પોલિટેક્નિક ચાર રસ્તા પર લાગેલા મોબાઈલ ટાવર પર ખેડૂત ચઢી ગયો હતો. ખેડૂતના જણાવ્યા અનુસાર તેની પાંચ એકડ જમીન ડૂબમાં ચાલી ગયી પરંતુ હજુ સુધી સરકાર તરફથી તેને કોઈ પણ પ્રકારનું વળતળ આપવામાં નથી આવ્યું. તેના માટે આ ખેડૂત છેલ્લા 5 વર્ષથી મંત્રીઓ અને અધિકારીઓના ધક્કા ખાઈ રહ્યો છે. પરંતુ કોઈ પણ તેની સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી. ખેડૂત પોતાના સમસ્યા લઈને ગુરુવારે સીએમ આવાસથી થોડે જ દૂર આવેલા એક ટાવર પર ચઢી ગયો.
આ પણ વાંચો: આ ત્રણ રાજ્યોમાં ભાજપને ધૂળ ચટાડી શકે કોંગ્રેસઃ રિપોર્ટ
ખેડૂતના ટાવર પર ચઢવાની સૂચના જેવી પ્રશાશન અને અધિકારીઓને મળી ત્યારે તેમને બે કલાકની મહેનત પછી ખેડૂતને નીચે ઉતાર્યો. એટલું જ નહીં પરંતુ સુરક્ષાને ધ્યાનમાં લેતા ટાવરની નીચે એક જાળ પણ ફેલાવવામાં આવી હતી, જેથી ખેડૂત નીચે પડે તો તેને બચાવી શકાય. ખેડૂતને ક્રેન મશીન ઘ્વારા નીચે ઉતારવામાં આવ્યો.
આ પણ વાંચો: 2019 પહેલા ભાજપ સામે કોંગ્રેસે ફેલાવી ગઠબંધનની જાળ, 7 રાજ્યોમાં ચક્રવ્યૂહ