એક મંદિર જ્યાં બેડીમાં બંધાયેલા છે પવનપુત્ર હનુમાન
ભારતની સનાતન ભૂમિ પર એવા અનેક ધાર્મિક સ્થળો છે, જે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કારની ગાથા જણાવતા હોય છે. દક્ષિણ ભારતના ઓડિશામાં આવેલું આ મંદિર ખૂબ નાનું છે, પરંતુ હંમેશા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
ભારતની સનાતન ભૂમિ પર એવા અનેક ધાર્મિક સ્થળો છે, જે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કારની ગાથા જણાવતા હોય છે. દક્ષિણ ભારતના ઓડિશામાં આવેલું આ મંદિર ખૂબ નાનું છે, પરંતુ હંમેશા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઓડિશામાં ભગવાન જગન્નાથનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દેશ-વિદેશના ભક્તો આવે છે. આ મંદિર 'બેડી હનુમાન મંદિર' અથવા 'દરિયા હનુમાન મંદિર' તરીકે જાણીતું છે, જ્યાં પવનપુત્રને શ્રી વિષ્ણુના અવતાર ભગવાન જગન્નાથ (શ્રી કૃષ્ણ) દ્વારા બેડીઓમાં બાંધીને રાખવામાં આવ્યા છે.

શું છે આ મંદિરની દંતકથા
એક દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથ મંદિર પુરીના દરિયા કિનારે ભગવાન કૃષ્ણના આદેશ પર બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેમંદિરને સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે, હનુમાનજીને તે મંદિરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ હનુમાનજીની ભક્તિથીઆપણે બધા પરિચિત છીએ.

ભગવાન જગન્નાથ
જ્યારે હનુમાનજીના મનમાં પોતાના સ્વામીના દર્શન થતા હતા, ત્યારે તેઓ શહેરમાં પ્રવેશ કરતા હતા. જેના કારણે શહેર અને ભગવાનજગન્નાથ મંદિરને અનેક વખત નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. હનુમાનજી વારંવાર શહેરમાં પ્રવેશતા હતા... ભગવાન જગન્નાથ તેમનેરોકવાનો કોઈ રસ્તો વિચારી શકતા ન હતા.

શહેરની રક્ષા કરે છે હનુમાનજી
અંતે, જ્યારે કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે ભગવાન જગન્નાથે તે જ દરિયા કિનારે હનુમાનજીને બેડીઓથી બાંધી દીધા અને આદેશ આપ્યો કેહવેથી તેઓ અહીં જ રહે અને તેમના મંદિર અને શહેરની રક્ષા કરે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથનો આદેશ મળતાં જહનુમાનજી ત્યાં રોકાઈ ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી તે મંદિર અને શહેરની રક્ષા માટે તૈનાત છે.












Click it and Unblock the Notifications
