AAP એ રાજ્યસભા માટે પંજાબમાંથી 4 નામોની જાહેરાત કરી, આ સ્ટાર ક્રિકેટર પણ સામેલ!
આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં AAPને 92 બેઠકો મળી છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં AAPને 92 બેઠકો મળી છે. પંજાબ ક્વોટામાંથી હવે પાર્ટી પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા અને ડૉ. સંદીપ પાઠકને રાજ્યસભામાં મોકલશે. AAP એ તેના ચોથા ઉમેદવાર તરીકે લવલી યુનિવર્સિટીના ચાન્સેલર અશોક કુમાર મિત્તલનું નામ ફાઈનલ કર્યું છે. સંજીવ અરોરા પંજાબમાંથી પાંચમા રાજ્યસભાના ઉમેદવાર હશે. અરોરા કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરીટેબલના સ્થાપક છે.

પંજાબમાં બમ્પર જીત બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહનું નામ સમાચારોમાં હતું, પરંતુ અન્ય બે વિશે અટકળો ચાલી રહી હતી. સોમવારે પાર્ટી દ્વારા સસ્પેન્સનો અંત આવ્યો હતો, હરભજનને રાજ્યસભામાં મોકલવાની સાથે પાર્ટી રાજ્યની સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જવાબદારી પણ આપી શકે છે. રાજ્યમાં રમતવીરોને આગળ લાવવા અને તેમની પ્રતિભાને સન્માનિત કરવા માટે હરભજન જવાબદાર રહેશે.
હાલમાં રાજ્યસભામાં AAPના ત્રણ સાંસદો છે. પંજાબમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. માનવામાં આવે છે કે AAP આ પાંચેય બેઠકો જીતી શકે છે અને આ રીતે એપ્રિલમાં ઉપલા ગૃહમાં AAPના સાંસદોની સંખ્યા વધીને 8 થઈ શકે છે. હાલમાં રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો છે અને તે તમામ દિલ્હીના છે. જેમાં રાજ્યસભાના સાંસદો સંજય સિંહ, સુશીલ ગુપ્તા અને એન. ડી. ગુપ્તા છે.
પંજાબની રાજ્યસભામાં પોતાનો કાર્યકાળ પૂરો કરનારા સભ્યોમાં કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવા અને શમશેર સિંહ દુલો, અકાલી દળના સુખ દેવ સિંહ ધીંડસા અને નરેશ ગુજરાલનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપના એક સભ્ય પણ સામેલ છે. આ સાથે અન્ય બે સભ્યોનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થશે અને આ બંને બેઠકો પણ AAPના ખાતામાં જઈ શકે છે. પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો માટે જુલાઈમાં ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી આ બંને બેઠકો જીતી શકે છે. આ રીતે, આમ આદમી પાર્ટી જુલાઈના અંત સુધીમાં પંજાબમાંથી રાજ્યસભાની 7 બેઠકો જીતી શકે છે અને પછી રાજ્યસભામાં AAPના સભ્યોની સંખ્યા દસ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે પંજાબમાં જીત બાદ આપનું કદ સતત વધી રહ્યું છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
