પંજાબમાં મતગણતરી શરુ થતા પહેલા આપ નેતા ભગવંત માને ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ, ચરણજીત સિંહ ચન્ની પણ પહોંચ્યા
પંજાબમાં 14 ફેબ્રુઆરીએ ખતમ થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ 10 માર્ચ એટલે કે આજે આવવાના છે.
ચંદીગઢઃ પંજાબમાં 14 ફેબ્રુઆરીએ ખતમ થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ 10 માર્ચ એટલે કે આજે આવવાના છે. જેને લઈને બધા રાજકીય પક્ષોના નેતાઓના ધબકારા વધી ગયા છે. સહુ કોઈ મંદિર તેમજ ગુરુદ્વારા જઈને પોતાની જીત માટે પૂજા કરી રહ્યા છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માને ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના સાહિબ, સંગરુરમાં પૂજા-અર્ચના કરી.
વળી, પંજાબમાં કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્નીએ પણ ગુરુદ્વારામાં જઈને માથુ ટેકવ્યુ છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રોપડના ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબમાં માથુ ટેકવ્યુ. તમને જણાવી દઈએ કે પંજાબની 117 વિધાનસભા સીટો પર થયેલ મતદાનની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ જશે.
AAP leader Bhagwant Mann offers prayers at gurdwara Gursagar Mastuana Sahib, Sangrur
— ANI (@ANI) March 10, 2022
Counting of votes for 117 Assembly constituencies in Punjab will begin at 8am pic.twitter.com/a8WAwrDiDL
पंजाब: मुख्यमंत्री चरणजीत सिंह चन्नी ने रोपड़ के गुरुद्वारा श्री कतलगढ़ साहिब में माथा टेका। पंजाब विधानसभा चुनाव के नतीजों की घोषणा आज होगी। #PunjabElections pic.twitter.com/IbmALKMhL7
— ANI_HindiNews (@AHindinews) March 10, 2022