નવી દિલ્હી, 18 મે: રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટી (આપ)ના કેટલાક ધારાસભ્યોએ શનિવારે ભાજપ અથવા કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં ફરીથી એકવાર સરકાર બનાવવાની ભલામણ કરી છે.
કહેવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક ટોચના નેતાઓ સાથે બેઠકમાં આપના લગભગ 20 ધારાસભ્યોએ નેતૃત્વને કહ્યું કે પાર્ટીને સરકાર બનાવવાનો ફરીથી પ્રયત્ન કરવો જોઇએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય રાજેશ ગર્ગે ફેબ્રુઆરીમાં 49 દિવસોમાં સરકારમાંથી રાજીનામું આપવાના અરવિંદ કેજરીવાલના નિર્ણયને લોકસભા ચૂંટણીમાં આપના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ ગણાવતાં આ વિચાર મૂક્યો છે. માનવામાં આવે છે કે રોહિણીના ધારાસભ્યએ કહ્યું કે પાર્ટીએ સરકાર બનાવવા પર વિચાર કરવો જોઇએ જેથી જનતાને આ નિર્ણયથી લાભ મળે.
આપના એક ધારાસભ્યએ કહ્યુ, 'બેઠકમાં હાલના આપના લગભગ 20 ધાસભ્યોએ આ પ્રસ્તાવનો સકારાત્મક રીતે સ્વાગત કર્યું. અરવિંદ કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ધારાસભ્યોના વિચાર સાંભળ્યા પરંતુ ટિપ્પણી કરી નહી. ધારાસભ્યોએ આ અંગે ફેંસલો રાજકીય મુદ્દાઓની સમિતિ પર છોડી દિધો.'
આ દરમિયાન આપ ધારસભ્યના પ્રસ્તાવના સમાચારની પ્રતિક્રિયા આપતાં દિલ્હી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યું, 'કેજરીવાલે દિલ્હીની જનતાને દગો આપ્યો અને જો આ પાર્ટી ફરીથી સરકાર બનાવવાનો પ્રયત્ન કરે છે તો કોંગ્રેસ તેમને સમર્થન આપવા વિશે વિચારી રહી નથી.'