For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપને હવે ભાજપ સાથે જોડાવાની ઇચ્છા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે : લોકસભા ચૂંટણી 2014માં પોતાની સાખ ગુમાવી ચૂકેલી આમ આદમી પાર્ટી હવે પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહી છે. જે પાર્ટી દેશભરમાંથી અંદાજે 100 બેઠકો લાવવાનો દાવો કરી રહી હતી તેને લોકસભા ચૂંટણી 2014માં માત્ર 5 બેઠકો જ મળી છે. આ કારણે હવે પાર્ટીના કાર્યકરો નિષ્ફળતા માટે પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવી રહ્યા છે.

બીજી તરફ કેજરીવાલ પણ પોતની હાર અને પાર્ટીના અસ્તિત્વ સામે ઉભા થયેલા જોખમોને કારણે પરેશાન છે. તેઓ કાર્યકરો દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપોથી ચિંતિત છે.આપના સ્થાપક સભ્ય શાઝિયા ઇલ્મીએ તો અરવિંદ કેજરીવાલ પર પાર્ટીને હાઇજેક કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

arvind

બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઘણા બેચેન છે. આપના ધારાસભ્યોનું માનવું છે કે જો આગામી થોડા સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજવામાં આવી તો તેમની હાર થશે. આ કારણે તેઓ ઇચ્છે છે કે કોંગ્રેસ સાથે નહીં તો છેવટે ભાજપ સાથે યુતિ કરી દેવામાં આવે. આ અંગે હવે એવી સ્થિતિ પણ ઉભી થઇ રહી છે કે આપના ધારાસભ્યો આપ છોડીને ભાજપમાં જોડાઇ જઇ શકે છે.

English summary
AAP wants to join hands with BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X