For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરુષિ હત્યાકાંડમાં કોંસ્ટેબલનો ચોંકાવનારો ખુલાસો!

|
Google Oneindia Gujarati News

aarushi murder case
ગાઝિયાબાદ, 7 માર્ચ: આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં બુધવારે સીબીઆઇની ખાસ કોર્ટમાં તત્કાલિન કોન્સ્ટેબલ નોયેડા સેક્ટર-20 દાતારામ નનૌરિયાનું નિવેદન લેવામાં આવ્યું છે. તેણે કોર્ટેને જણાવ્યું કે તે ઘટનાસ્થળે ગયો હતો. તેણે જણાવ્યું કે ઓરડામાં આરુષિનો મૃતદેહ બેડ પર હતો અને તકિયો, બેડશીટ અને દીવાર પર લોહીના ડાઘ હતા. આરુષિનું લોઅર નીચેની તરફ હતું જ્યારે તેનું નાડું ખુલેલું હતું તેમજ ઉપરના કપડાઓ પણ ઉપરની તરફ ખસેલા હતા. નિવેદન બાદ કોર્ટે ઉલટ તપાસ માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે. બધવારે સીબીઆઇ તરફથી દાતારામ નનૌરિયાને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા.

દાતારામે કોર્ટેને જણાવ્યું કે તેઓ ડો. રાજેશ તલવાર તરફથી પોલીસ સ્ટેશનમાં સૂચિત કરી દેવાયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યા તેઓ રૂમમાં પહોંચ્યા તો આરુષિનો મૃતદેહ બેડ પર લોહીમાં લતપત પડ્યો હતો. તેનું ગળુ કપાયેલું હતું અને તકીયો અને બેડશીટ ખુનથી લથપત હતો. માથાની પાછળની દીવાર પર લોહીના છાંટા હતા. આરુષિનું લોઅર કંઇક નીચેની તરફ હતું અને તેનું નાડુ ખુલ્લુ હતું, જ્યારે તેનું ટોપ પણ ઉપરની તરફ હતું. રૂમમાં સામાન વ્યવસ્થિત હતો.

તેઓ ધાબા તરફ પણ ગયા હતા, પરંતુ અગાસી તરફ જવાના દરવાજે તાળુ લગાવેલું હતું, ત્યાં પણ ખુન લાગેલું હતું. તેમણે જ્યારે તાળાની ચાવી માગી તો ડો. રાજેશ તલવારે ચાવી નહીં હોવાનું કહી હેમરાજના ફરાર થઇ જવાની વાત કહી હતી. ત્યારબાદ તેઓ ત્યાથી પરત આવી ગયા હતા.

જુબાની લીધા બાદ કોર્ટે સાક્ષીઓની ગુરુવારે ઉલટ તપાસ કરવાના આદેશ આપ્યો છે. બુધવારે ડો. તલવાર દંપતિ કોર્ટમાં હાજર થયા. આ દરમિયાન સીબીઆઇના વરિષ્ઠ લોક અભિયોજક આર.કે. સૈની, બી.કે. સિંહ અને બચાવ પક્ષના અધિવક્તા મનોજ સિસોદિયા પણ કોર્ટમાં હાજર હતા.

English summary
Aarushi murder case: important clarification of constable in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X