રામનવમીના પ્રસંગે JNUમાં ભીડાયા ABVP અને લેફ્ટના છાત્રો, નૉનવેજ ખાવાને લઈને થયો હોબાળો

રામનવમીના પ્રસંગે દિલ્લીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એકવાર ફરીથી હોબાળો થયો છે.

નવી દિલ્લીઃ રામનવમીના પ્રસંગે દિલ્લીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એકવાર ફરીથી હોબાળો થયો છે. માહિતી મુજબ, જેએનયુ કેમ્પસમાં એબીવીપી અને લેફ્ટના છાત્રો પરસ્પર ભીડાઈ ગયા અને કેમ્પસમાં મારપીટની ઘટના પણ થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લેફ્ટના છાત્રોએ રામનવમીની પૂજામાં અડચણ નાખવાની કોશિશ કરી ત્યારબાદ હોબાળો વધી ગયો. વળી, લેફ્ટના છાત્રોનો આરોપ છે કે રાઈટ વિંગના છાત્રોએ તેમને નૉનવેજ ખાવાથી રોક્યા હતા જેના કારણે હોબાળો વધી ગયો.

jnu

50-60 છાત્રો થયા ઘાયલ

લેફ્ટ વિંગના છાત્રોએ આરોપ લગાવ્યો છે કે એબીવીપીના છાત્રોએ કેમ્પસમાં સ્થિત મેસના સચિવને પણ માર્યા છે. આ ઉપરાંત લેફ્ટના છાત્રો સાથે પણ મારપીટ થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ઘટનામાં લગભગ 50-60 છાત્રોને ઈજા થઈ છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

એબીવીપીની સફાઈ

વળી, આ આરોપ પર એબીવીપીનુ કહેવુ છે કે તેમના તરફથી એ અપીલ કરવામાં આવી રહી કે રવિવારે કેમ્પસમાં રામનવમીની પૂજા થશે, પૂજા દરમિયાન મેસમાં નૉનવેજ ના વેચાય પરંતુ આ વાતને માનવામાં આવી નહિ જેના કારણે હોબાળો થઈ ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X