Video: સબરીમાલા ગયેલી બિંદુ પર લાલ મરચાથી હુમલો, લગાવ્યો છેડતીનો આરોપ
બિંદુ આમિની એ બે મહિલાઓ કાર્યકર્તાઓમાંની એક છે જે જાન્યુઆરીમાં કેરળના સબરીમાલા મંદિરમાં જવામાં સફળ રહી હતી. તેના પર સોમવારે કોચ્ચિના પોલિસ કમિશ્નરની ઓફિસમાં લાલ મરચાથી હુમલો કરવામાં આવ્યો છે.
બિંદુ આમિની એ બે મહિલા કાર્યકર્તાઓમાંની એક છે જે જાન્યુઆરીમાં કેરળના સબરીમાલા મંદિરમાં જવામાં સફળ રહી હતી. તેના પર સોમવારે કોચ્ચિના પોલિસ કમિશ્નરની ઓફિસમાં લાલ મરચાથી હુમલો કરવામાં આવ્યો છે. તે તૃપ્તિ દેસાઈ સહિત અન્ય કાર્યકર્તાઓ સાથે એક વાર ફરીથી મંદિર તરફ જઈ રહી હતી. બિંદુ અને તૃપ્તિ સબરીમાલા જવા માટે સુરક્ષા માંગવા પોલિસ કમિશ્નરની ઓફિસ પહોંચ્યા હતા.

છેડતીનો દાવો
બિંદુએ દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ તેની સાથે છેડતી કરી છે. નવાઈની વાત તો એ છે કે બિંદુ સાથે આ બધુ પોલિસ કમિશ્નરની ઓફિસની બહાર થયુ છે. જ્યાં તે સુરક્ષા માંગવા માટે પહોંચી હતી. તેને ત્યારબાદ હોસ્પિટલમાં પણ લઈ જવામાં ન આવી. જ્યારે તૃપ્તિ દેસાઈ કોચ્ચિ એરપોર્ટ પર પહોંચી તો પ્રદર્શનકારીઓએ તેનો રસ્તો રોકી લીધો અને કહ્યુ કે તે કોઈ પણ હાલતમાં તેને મંદિર સુધી નહિ જવા દે.
|
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કોઈ રોક નથી લગાવી
આ મહિલા કાર્યકર્તાઓનુ કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે પોતાના 2018ના ચુકાદા પર કોઈ રોક નથી લગાવી. આ ચુકાદો બધી ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં જવાની મંજૂરી આપે છે. એ કહે છે કે આજે બંધારણ દિવસ છે એટલે કે એ દિવસ જ્યારે સદીઓથી ઉંમર માટે ચાલી આવતા આ પ્રતિબંધને તોડવો જોઈએ. આ મહિલાઓનુ કહેવુ છે કે જો કોઈ તેમનો રસ્તો રોકશે તો તે અવગણના અરજી સાથે કોર્ટ સુધી જશે. તે કહે છે કે તેમને સુરક્ષા આપવી પોલિસનુ કર્તવ્ય છે.

શું કહે છે કેરળની ડાબેરી સરકાર
આ બાબતે કેરળની ડાબેરી સરકારનુ કહેવુ છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવી જાય ત્યાં સુધી તે મંદિર જવા ઈચ્છુક મહિલાઓને કોઈ સુરક્ષા નહિ આપે. તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે સદીઓથી પ્રથા ચાલી આવે છે કે અહીં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પ્રવેશ ન કરી શકે કારણકે તેમને માસિક ધર્મ થાય છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો અને બધી ઉંમરની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપી દીધી હતી જેનો ઘણો વિરોધ થયો હતો. કોર્ટમાં સમીક્ષા અરજી કરવામાં આવી ત્યારબાદ પાંચ જજોની બેંચે કેસ સાત જજોની બેંચને સોંપી દીધો. જો કે આ દરમિયાન કોર્ટે પોતાના ગયા આદેખ પર ના તો કોઈ રોક લગાવી અને ના તેના વિરોધમાં કંઈ કહ્યુ.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
