For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આદર્શ કૌભાંડના આરોપી કેએલ ગિડવાનીનું નિધન

By Super
|
Google Oneindia Gujarati News

kanhaiyalal-gidwani
મુંબઇ, 27 નવેમ્બર: આદર્શ આવાસ કૌભાંડના આરોપી વ્યવસાયી અને પૂર્વ કોંગ્રેસી નેતા કનૈયાલાલ ગિડવાનીનું મંગળવારે સવારે હૃદય રોગનો હુમલો આવતા નિધન થયું છે. તે 61 વર્ષના હતા.

ગિડવાનીને બે દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે તેમણે અતિમ શ્વાસ લીધા હતા.

પૂર્વ ધારાસભ્ય અને મરાહાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા ગિડવાનીની સીબીઆઇએ કોલાબામાં આદર્શ આવાસ સોસાયટી કૌભાંડ સબબ ગયા વર્ષે માર્ચમાં ધરપકડ કરી હતી.

ગિડવાની પર આ મામલેની તપાસ કરી રહેલા સીબીઆઇના અધિકારીઓને પ્રભાવિત કરવા માટે નાણાકીય સલાહકાર જે કે જગિયાસીને 1.25 કરોડ રૂપિયા આપવાનો આરોપ હતો.

ગિડવાનીની ધરપકડ બાદ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી નિલંબિત કરી દીધા હતા અને તેમનાથી અંતર વધારી લીધું હતું.

English summary
Kanhaiyalal Gidwani, one of the main accused in the Adarsh Housing Society scam, died of heart attack at the Breach Candy Hospital here on Tuesday. Gidwani, a former Congress MLC and promoter of Adarsh, was admitted to the hospital on Friday after suffering a second heart attack in four days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X