પેગાસસ મુદ્દે આદિત્ય ઠાકરેએ રાહુલ ગાંધીનું સમર્થન કર્યુ, કહ્યું - ભારતના લોકતંત્ર અને સંવિધાન પર ખતરો
મીડિયા સાથે વાતચીત દરમિયાન આદિત્ય ઠાકરેએ ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ જાસૂસી કેસમાં રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું.
નવી દિલ્હી : પેગાસસને લઈને રાહુલ ગાંધીના નિવેદને નવો વિવાદ છેડ્યો છે. હવે શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ પેગાસસ જાસૂસી કેસમાં કેન્દ્ર સરકાર અને બીજેપી પર નિશાન સાધ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, તેમને ખબર નથી કે રાહુલ ગાંધીના મોબાઈલની પેગાસસ દ્વારા જાસૂસી કરવામાં આવી છે કે નહીં, પરંતુ એ વાત સાચી છે કે આજે દેશનું બંધારણ અને લોકશાહી ખતરામાં છે.

અહીં મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ સરકાર પર પ્રહાર કરતા મોટા પ્રહાર કર્યા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન આદિત્ય ઠાકરેએ ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ જાસૂસી કેસમાં રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધી મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મને ખબર નથી કે રાહુલ ગાંધીનો ફોન ટેપ કરવામાં આવ્યો કે કેમ, પરંતુ એ હકીકત છે કે આજે તપાસ એજન્સીઓનો ઉપયોગ સત્યને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કહ્યું હતું કે ઘણા રાજનેતાઓ સાથે મારા ફોનમાં પણ પેગાસસ હતો. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ગુપ્તચર એજન્સીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે મારા ફોનમાં પેગાસસ છે. તમે જે કહો છો તે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ. તેથી સાવચેત રહો. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં પોતાના પ્રવચનમાં ફરી આરોપ લગાવ્યો કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશના લોકતાંત્રિક માળખાને નષ્ટ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
