Delhi Murder Case: મુંબઇના ફ્લેટમાં પતી-પત્ની બનીને રહેતા હતા આફતાબ અને શ્રદ્ધા, દરરોજ થતા હતા ઝઘડા
શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં ખુલાસો થયો છે કે આફતાબ અને શ્રદ્ધા મુંબઈમાં જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં બંનેએ પોતાને પતિ-પત્ની ગણાવ્યા હતા. બંને મુંબઈના વસઈમાં વ્હાઈટ હિલ્સ સોસાયટીના ફ્
શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં ખુલાસો થયો છે કે આફતાબ અને શ્રદ્ધા મુંબઈમાં જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં બંનેએ પોતાને પતિ-પત્ની ગણાવ્યા હતા. બંને મુંબઈના વસઈમાં વ્હાઈટ હિલ્સ સોસાયટીના ફ્લેટ 201માં લગભગ છ મહિના સુધી સાથે રહ્યા હતા. પોલીસ વેરિફિકેશનમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં બંનેએ પતિ-પત્નીના સંબંધો ગણાવ્યા હતા.
આફતાબને નથી થઇ રહ્યો પસ્તાવો
આફતાબ અમીન પૂનાવાલાને તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા અને તેના શરીરના ટુકડા કરવા બદલ કોઈ પસ્તાવો નથી. આફતાબનું કહેવું છે કે તેણે ઝઘડા પછી હત્યા કરી અને પોતાને બચાવવા માટે લાશના ટુકડા કરી નાખ્યા. તેણે કહ્યું કે તેની પાસે મૃતદેહના નિકાલ માટે બીજો કોઈ વિકલ્પ નહોતો.
3 દિવસ સુધી માથુ ફ્રીજમાં રાખ્યુ
આફતાબે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે શ્રદ્ધાનું કપાયેલું માથું ત્રણ દિવસ સુધી ફ્રીજમાં રાખ્યું હતું. દરરોજ તે શ્રદ્ધાનો ચહેરો જોતો અને પછી તેને બાળવાનો પ્રયાસ કરતો. પરંતુ ફ્રીજમાં થીજી જવાને કારણે માથું બરાબર બળી શક્યું ન હતું. આ પછી, આફતાબે શ્રદ્ધાનું કપાયેલું માથું માટીમાં ઘસીને ફેંકી દીધું, જેથી પ્રાણીઓ તેને ખાઈ જાય.
શ્રદ્ધાના શબની શોધમાં લાગી પોલીસ
આફતાબે જણાવ્યું કે તેણે આ પદ્ધતિઓ ગૂગલ પરથી સર્ચ કરી. તેણે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને જાણ્યું કે હત્યા બાદ લાશનો નિકાલ કેવી રીતે કરવો. તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસ મૃતદેહના ટુકડાઓ મેળવવામાં લાગેલી છે. પોલીસ શ્રદ્ધાના અંગો શોધી રહી છે. જો કે મૃતદેહના ટુકડા જાનવરો ઉઠાવી ગયા હોવાની આશંકા છે.