86 દિવસ બાદ આજથી કેદારનાથ ધામમાં પૂજાનો આરંભ

સવારે સાત વાગ્યે પૂજારી રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના દ્વાર ખોલ્યા હતા અને પૂજા માટે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. કેદારનાથની આ પૂજા આજે બુધવારે 'સર્વાર્થ સિદ્ધિ યોગ' નિમિત્તે શરૂ કરાઈ છે, જેને શુભ માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન વિજય બહુગુણા મંત્રીમંડળના નેતાઓ સાથે પૂજામાં સામેલ થવાના હતા જોકે ખરાબ હવામાનને કારણે તેઓ દહેરાદૂનથી કેદારનાથ આવી શક્યા નહોતા.
કેદારનાથમાં હાલ વાદળછાયુ વાતાવરણ છે. કેદારનાથની પૂજા કવર કરવા માટે આવેલા મીડિયા જૂથોને પણ કેદારનાથથી દૂર 22 કિલોમીટર દૂર ગુપ્તકાશીમાં રોકાવું પડ્યું હતું. ખરાબ હવામનને કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. પૂજા પહેલા મંદિરમાં 'શુદ્ધિકરણ' અને બાદમાં 'પ્રાયશ્ચિતકરણ' કરવામાં આવ્યું.
મુખ્ય પૂજારી સાથે મોટી સંખ્યામાં પુરોહિતો અને બદ્રીનાથ કેદારનાથ સમિતિના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સામુહિક મંત્રોચ્ચાર અને પવિત્ર શંખનાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું હતું.
13500 ફૂટની ઉંચાઈએ આવેલ આ મંદિરમાં જવા માટે સામાન્ય નાગરિકોને પરવાનગી નથી. કેદારનાથની યાત્રા અટકાવી દેવામાં આવી છે, યાત્રા ફરી શરૂ કરવાની તારીખ નક્કી કરવા માટે 30 સપ્ટેમ્બરના રોજ બેઠક મળશે.
પૂજા માટે મંદિરમાં સફાઈ બાદ મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું. ઉત્તરાખંડમાં આવેલ ભયાનક પ્રકોપને પગલે રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી અને પિથૌરાગઢમાં ભયાનક વિનાશ થયો હતો. આ આપત્તિમાં 600થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 4000થી વધુ લોકો ગુમ થયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
