20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ થયા બાદ CM કેજરીવાલે કરી અપીલ

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દા થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીના મૂડમાં આવી ગયા છે અને તેમણે પેટાચૂંટણી માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દા થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીના મૂડમાં આવી ગયા છે અને તેમણે પેટાચૂંટણી માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રીએ નજફગઢમાં એક સભા સંબોધિત કરી હતી, અહીંના આપના ધારાસભ્ય કૈલાશ ગેહલોતને અયોગ્ય ઠરાવવામાં આવ્યા છે. સીએમ કેજરીવાલે પોતાના સંબોધનમાં અહીંના લોકોને સમજી-વિચારીને મત આપવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, વિકાસના કાર્યોમાં કોઇ પણ પ્રકારની રાજનીતિ ન થવી જોઇએ.

Arvind kejriwal

ઉલ્લેખનીય છે કે, જે બેઠકો પર આપના ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવામાં આવ્યા છે, ત્યાં પાર્ટી મજબૂતી સાથે જીતી હતી. હવે ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી બદલાયેલી પરિસ્થિતિઓમાં લોકસભા ચૂંટણી પહેલાની બહુ મોટી તક છે, જ્યારે તેઓ દિલ્હીના મતદારોના મૂડને પારખી શકે. 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ થયા બાદ સીએમ કેજરીવાલે પેટાચૂંટણી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલે ટ્વીટ કરતાં અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે, મને લાગે છે કે ભગવાને કંઇ સમજી-વિચારીને જ પાર્ટીને 67 બેઠકો આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X