ગુજરાત ભૂલી ગયા પણ મુઝફ્ફરનગર તો યાદ હશે: તોગડિયા
ઇંદોર, 20 જુલાઇ: વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) નેતા પ્રવીણ તોગડિયાએ એક વાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તોગડિયાએ અમરનાથ યાત્રિયો પર હુમલો કરનારાઓને ખુલી ચેતવણી આપતા જણાવ્યું કે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ના લે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીર સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવાથી બચી રહી છે.
તોગડિયાએ મુસલમાનોને ચેતાવણી ભર્યા લહેઝામાં જણાવ્યું કે 'તેઓ ગુજરાતને ભલે ભૂલી ગયા હોય, પરંતુ મુઝફ્ફરનગરને તો નહીં જ ભૂલ્યા હોવ. હિન્દુ નેતાએ જણાવ્યું કે હિન્દુઓની સહનશીલતાની પરીક્ષા ના લે. હિન્દુઓ પણ ઇંટ અને પત્થર ઉઠાવી શકે છે' તોગડિયાએ જણાવ્યું કે અમરનાથ યાત્રિયો પર હુમલાથી મુગલકાલની યાદ તાજા થઇ ગઇ છે.

તોગડિયાએ હુમલામાં સામેલ લોકોને તુરંત ગિરફ્તાર કરી તેમની પર ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી છે. સાજે જ તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પોતાના એક સીનિયર અધિકારીને પણ પરિસ્થિતિની ભાળ મેળવવા માટે ત્યાં મોકલવા જોઇએ.












Click it and Unblock the Notifications
