વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન, આ રાજ્યોમાં શાળા-કોલેજો બંધ
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે. આજે દેશના ઘણા રાજ્યોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. વળી, સરકારી સંસ્થાઓમાં માત્ર અડધા દિવસની રજા આપવામાં આવી છે.

આ રાજ્યોમાં આજે શાળા-કોલેજોમાં રજા ઘોષિત કરવામાં આવી છેઃ
- દિલ્હી
ઉત્તરપ્રદેશ
બિહાર
ઝારખંડ
પંજાબ
રાજસ્થાન
કર્ણાટક
તમિલનાડુ
ઉડીશા
તેલંગાના
અસમ
ગોવા
ગુજરાત
હરિયાણા

અટલ બિહારી વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન
ઝારખંડમાં 7 દિવસના રાજકીય શોક સાથે આજે એક દિવસની રજા
પંજાબમાં આજે રજા અને ત્રણ દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે. બિહારમાં આજે રજા અને 7 દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે.

અટલના જવાથી રોઈ પડ્યુ ભારત
યુપીમાં આજે બધી સરકારી શાળા અને કાર્યાલયો બંધ રહેશે.
મધ્યપ્રદેશમાં 7 દિવસનો રાજકીય શોક અને આજે રજાનું એલાન.
હિમાચલપ્રદેશમાં 2 દિવસની રજાનું એલાન કરવામાં આવ્યુ છે.

દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો અડધી કાઠીએ ફરકશે
તમને જણાવી દઈએ કે 16 થી 22 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો અડધી કાઠીએ ફરકશે. અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે પૂરા માન સમ્માન સાથે 4 વાગે તેમના નિવાસસ્થાને લોકોના દર્શનાર્થે રાખવામાં આવશે.












Click it and Unblock the Notifications
