તમિલનાડુના રાજ્યપાલને મળી શક્તિ પરીક્ષણ કરાવવાની સલાહ
એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ તમિલનાડુના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવને સલાહ આપી છે કે, એક અઠવાડિયાની અંદર તેઓ વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે, જેથી ખબર પડે કે બહુમત કોની પાસે છે.
તમિલનાડુ ની સત્તાની જંગમાં જીત મેળવવા માટે એઆઇએડીએમકેના મહાસચિવ શશિકલા અને તમિલનાડુના અસ્થાયી મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ વચ્ચે મતભેદ વધતો જાય છે. આથી જ કેન્દ્ર સરકારની સલાહને આધારે ભારત સરકારના એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ તમિલનાડુના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવને બહુમત પરીક્ષણ કરાવવાની સલાહ આપી છે.

મુક્લ રહોતગીએ રાજ્યપાલને કહ્યું કે, તેઓ એક અઠવાડિયાની અંદર વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે, જેથી ખબર પડે કે બહુમત કોની પાસે છે. તેમણે વિધાનસભામાં એક વિશેષ સત્ર બોલાવવાની સાથે જ બહુમત સિદ્ધ કરવા માટે બંન્ને પાર્ટીઓને આમંત્રિત કરવાની સલાહ આપી છે. એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ પોતાના સૂચનમાં જણાવ્યું છે કે, વર્ષ 1998માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં જગદંબિકા પાલ અને કલ્યાણ સિંહ વચ્ચે સદનમાં ફ્લોર ટેસ્ટ થઇ હતી, જેમાં કલ્યાણ સિંહ 29 વોટ સાથે જીતી ગયા હતા.
તો બીજી બાજુ ડીએમકે ના નેતા એમ.કે.સ્ટાલિને કહ્યું કે, 'અમે તો પહેલા દિવસથી જ આ વાત પર ભાર મૂકી રહ્યાં છે કે જેની પાસે બહુમત હોય તેને સરકાર બનાવવા આમંત્રિત કરવામાં આવે. અમે કોઇનું સમર્થન નથી કરી રહ્યા. એઆઇએડીએમકે અમારું વિરોધી દળ છે અને હંમેશા રહેશે. રાજ્યપાલે એવો નિર્ણય લેવો જોઇએ, જેથી રાજ્યમાં બને એટલી જલ્દી સરકાર સ્થાપિત થઇ શકે.' જયલલિતાના આવકથી વધુ સંપત્તિવાળા કેસ અંગે પુછતાં તેમણે કહ્યું કે, અદાલતનો નિર્ણય આવ્યા બાદ જ તેઓ આ અંગે કોઇ ટિપ્પણી કરશે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
