જયલલિતાના મૃત્યુ અંગે AIADMKના નેતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ
પીએચ પંડિયને કહ્યું કે, અમ્મા(જયલલિતા)ને ધક્કો મારવામાં આવતા તે પડી ગયા હતા. કોઇ નથી જાણતું કે, એ પછી શું થયું? એક પોલીસ અધિકારીએ કહ્યું કે, એમ્બ્યૂલન્સ બોલાવી અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.
તમિલનાડુ ના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ના મૃત્યુને લઇને એઆઇડીએમકે ના નેતા પીએચ પંડિયને ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જયલલિતાને તેમના પોએસ ગાર્ડન સ્થિત નિવાસ સ્થાન પર કોઇએ ધક્કો માર્યો હતો, જે પછી તેમને 22 સપ્ટેમ્બરના રોજ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએચ પંડિયન એઆઇડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

પીએચ પંડિયને આ વાતો એ સમયે કહી હતી જ્યારે તેઓ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ ના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમ્મા(જયલલિતા)ને ધક્કો મારતા તે પડી ગયા હતા. કોઇને નથી ખબર કે એ પછી અમ્મા સાથે શું થયું? એક પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ત્યાંથી 27 જેટલા સીસીટીવી કેમેરા ખેડી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને જવાબ આપવો જોઇએ, કે એ સીસીટીવી કેમેરાને ત્યાંથી કેમ ખસેડવામાં આવ્યા?
પંડિયને કહ્યું, હું જાતે આ મામલે તપાસ કરી રહ્યો છું
એઆઇડીએમકેના નેતા પીએચ પંડિયને આગળ કહ્યું કે, જયલલિતાનું નિધન 4 ડિસેમ્બરના રોજ સાંજે 4.30 વાગે જ થયું હતું, પરંતુ હોસ્પિટલ દ્વારા 5 ડિસેમ્બર દ્વારા તેમના નિધનની જાહેરાત કરવામાં આવી. એઆઇડીએમકે નેતા એ પણ જાણવા માંગે છે કે, પરિવારના કયા સભ્યએ જયલલિતાની મેડિકલ ટ્રિટમેન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમની પાસે આ જાણકારીએ ક્યાંથી આવી, તો તેમણે કહ્યું મારી પાસે મારા પોતાના સૂત્રો છે. હું પોતાની રીતે આ મામલાની તપાસ કરી રહ્યો છું.
એઆઇડીએમકે નેતાએ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને પૂછ્યા સવાલો
પીએચ પંડિયને કહ્યું કે, જયલલિતાને આપવામાં આવેલી ટ્રિટમેન્ટમાં ઘણી જાતની શંકાઓ ઊભી થઇ છે. તેઓ ત્યારે મુખ્યમંત્રી હતા અને આથી તેમને એસપીજી સુરક્ષા આપવામાં આવી હતી. શું એસપીજી એક્ટ હેઠળ તેમના ખાવાનાની તપાસ કરવામાં આવશે? તેમને હોસ્પિટલમાં જવાની પરવાનગી આપવામાં કેમ નથી આવી? તેમણે સવાલ ઉઠાવતાં કહ્યું કે, અપોલો હોસ્પિટલમાં ઘણા ફિઝિયોથેરાપિસ્ટ છે. એવામાં જયલલિતાના ઇલાજ માટે સિંગાપુરથી ફિઝિયોથેરાપિસ્ટ કેમ બોલાવવમાં આવ્યા? એવા જ ઘણા સવાલ એઆઇડીએમકે નેતા પીએચ પંડિયને ઉઠાવ્યા છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
