વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ
મધ્યપ્રદેશના ભીંડમાં ગુરુવારની સવારે ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. ભીંડ એસપી મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, વિમાનનો પાયલોટ અકસ્માતમાં ઘાયલ થયો છે.
ભીંડ : મધ્યપ્રદેશના ભીંડમાં ગુરુવારની સવારે ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. ભીંડ એસપી મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, વિમાનનો પાયલોટ અકસ્માતમાં ઘાયલ થયો છે.

આ બાબતે માહિતી આપતાં ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, તાલીમની ઉડાન દરમિયાન આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં એરફોર્સના વિમાન 'મિરાજ 2000' માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
અકસ્માત બાદ પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો, પરંતુ તેને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
