બ્રિટેનના NSA સાથે મુલાકાત કરશે અજિત ડોભાલ, ખાલિસ્તાન મુદ્દે કરી શકે છે વાતચીત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બ્રિટેનના સુરક્ષા સલાહાકાર ટિમ બૈરો સાથે આજે મુલાકાત કરશે. આ અવસર પર ડોભાલ ખાલિસ્તાન સમર્થક કટ્ટરપથિયોની ગિતિવિધિઓને લઇને ચર્ચા કરશે. બંન્ને વચ્ચે નવી દિલ્હીના સરદાર પટેલ ભવનમાં મુલાકાત થશે આ દરમિયાન તેમની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે.

આ બેઠક ગયા મહિને 15 જુનના ખાલિસ્તાન સમર્થક નેતા અે અમૃતપાલ સિહની નજીકના સાથી અવતાર સિહ ખાંડા ની બર્મિધમ હોસ્પિટલમાં રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઇ ગઇ હતી. ખાંડા પર યુકેમાં ભારતીય તિરંગાના અપમાન કરવાનો આરોપ છે.
હિન્દુસ્તાન ટાઇમ્સની રિપર્ટસ અનુસાર એનઆઇએ અજીત ડોભાલ, બ્રિટેનમાં ખાલિ્તાન સમર્થક ચરમપંથના વધવા અને દ્વિપક્ષીય સંબંધો પર તેના પ્રભાવને લઇેન બૈરોના સંપર્કમાં છે. જો કે, જેવી રીતે બ્રિટનમાં આ પ્રકારની ઘટનાઓ પર કુણુ વલણ રાખવામાં આવી રહ્યુ છે તેને લઇને ભારતી ચિતિત છે.
મોદી સરકાર માટે ત્યાર વધારે મુશ્કેલી ઉભી થઇ ગઇ હતી જ્યારે લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ પર વિરોધ પ્રદર્શન દરમિયાન ખાંડાના નૈતૃત્વમાં કટ્ટરપંથિયોએ ભારતીય તિરંગાનું અપમાન કર્યુ હતુ. આ સંભવત: પહેલીવાર હતુ જ્યારે દિલ્હી પોલીસે પહેલીવાર દેશની બહાર કોઇ સામે એફઆઇઆર દાખલ કરી હોય.












Click it and Unblock the Notifications
