યાત્રીગણ કૃપયા ધ્યાન દે! 2 દિવસ બંધ રહેશે દિલ્હી મેટ્રોના તમામ પાર્કિંગ સ્થળ
જો તમે પણ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. રાજધાની દિલ્હીમાં 14 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 15 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા સુધી તમામ મેટ્રો સ્ટેશનોના પાર્કિંગ બંધ રહેશે. આ સાથે એ પણ સ્પષ્ટ કરવામ
જો તમે પણ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. રાજધાની દિલ્હીમાં 14 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 15 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા સુધી તમામ મેટ્રો સ્ટેશનોના પાર્કિંગ બંધ રહેશે. આ સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રોની સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને મેટ્રો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના સીપીઆરઓ અનુજ દયાલે જણાવ્યું હતું કે સુરક્ષાના પગલાંને ધ્યાનમાં રાખીને, દિલ્હી મેટ્રો સ્ટેશનો પર રવિવાર, 14 ઓગસ્ટના સવારે 6:00 વાગ્યાથી સોમવાર, 15 ઓગસ્ટના રોજ બપોરે 2:00 વાગ્યા સુધી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, મેટ્રો ટ્રેનની સેવાઓ સામાન્ય સમયપત્રક મુજબ ચાલુ રહેશે. ડીએમઆરસીએ કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ તરફથી મળેલી સુરક્ષા સૂચનાઓ અનુસાર આ તમામ પગલાં લેવામાં આવ્યા છે.
અગાઉ 11 ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં 15 ઓગસ્ટના રોજ ટ્રાફિક એડવાઈઝરી જારી કરી હતી. દિલ્હી પોલીસે પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે લાલ કિલ્લાની આસપાસનો ટ્રાફિક સવારે 4 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ ઉપરાંત આઠ રસ્તાઓ - નેતાજી સુભાષ માર્ગ, લોથિયન રોડ, એસપી મુખર્જી માર્ગ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ, એસ્પ્લેનેડ રોડ અને તેનો લીંક રોડ નેતાજી સુભાષ માર્ગ, રિંગ રોડ રાજઘાટથી ISBT અને આઉટર રિંગ રોડ ISBTથી IP સુધી. ફ્લાયઓવર સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી અને રવિવાર અને સોમવારે નોઈડા, લોની, સિંઘુ, ગાઝીપુર, બદરપુર, સફિયા, મહારાજપુર, આયા નગર, ઓચંડી, સૂર્યા નગર, રાજોકરી, ધનસા, અપ્સરા, કલાંદી કુંજ, ઝરોડા, ભોપુરા, લાલ કુઆન બ્રિજ, પ્રહલાદપુર અને ટિકરી બોર્ડર કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.












Click it and Unblock the Notifications
