વાદળ ફાટ્યા બાદ અમરનાથ યાત્રા અટકાવાઈ, 16નાં મોત, 41 લોકો લાપતા!
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 65 લોકો હોસ્પિટલમાં દાખલ છે. લગભગ 41 લોકો ગુમ હોવાના અહેવાલ છે.
નવી દિલ્હી, 10 જુલાઇ : અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 65 લોકો હોસ્પિટલમાં દાખલ છે. લગભગ 41 લોકો ગુમ હોવાના અહેવાલ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, NDRF, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને આર્મીના જવાનો ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ દરમિયાન સમાચાર છે કે અમરનાથ યાત્રાને હાલ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

અમરનાથમાં વાદળ ફાટ્યા બાદ યાત્રા રોકી દેવામાં આવી છે. એક મુસાફરે ANIને કહ્યું, "અમારી પાસે આજનું રજીસ્ટ્રેશન છે. અમને પ્રશાસન પર વિશ્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં યાત્રા શરૂ કરશે. અમને કહેવામાં આવ્યું છે કે યાત્રા આજે શરૂ થશે નહીં પરંતુ આવતીકાલ સુધીમાં યાત્રા શરૂ થવાની 99% શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે સાંજે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે પૂરનું પાણી ભરાઈ ગયું હતું. વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક હવે વધીને 16 પર પહોંચી ગયો છે. મૃતકોમાં 7 પુરૂષો જ્યારે 6 મહિલાઓ છે. 2 મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. કાટમાળમાંથી લગભગ 65 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાદળ ફાટવાની ઘટનાને ધ્યાનમાં રાખીને, કાશ્મીરમાં આરોગ્ય સેવા નિદેશાલયે તેના કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય તમામ ઓફિસોને તેમના ફોન ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
