અમરનાથ યાત્રાના પ્રારંભે બરફનું શિવલિંગ 40 ટકા ઓગળ્યું!
જમ્મુ - કાશ્મીર, 14 જૂન : આ વર્ષે બાબા અમરનાથના દર્શનની આશા લઇને અમરનાથ યાત્રામાં જોડાનારા શ્રદ્ધાળુઓની આશા ફળવાની શક્યતા ઓછી છે. કારણ કે બર્ફાની બાબાનાં દર્શન શ્રદ્ધાળુઓને નહીં થઈ શકે. અમરનાથમાં 3888 મીટરની ઉંચાઈ પર પ્રાકૃતિક રૂપથી બનનારું બરફનું શિવલિંગ અમરનાથ યાત્રાના પ્રારંભમાં જ 40% જેટલું ઓગળી ગયું છે. સામાન્ય રીતે બરફનું શિવલિંગ દર વર્ષે શ્રાવણ મહિનાના અંતમાં ઓગળતું હોય છે.

આ વર્ષે બનેલી વિચિત્ર બાબત અંગે હવામાન વિભાગનાં અધિકારીઓનું કહેવું છે કે, ખીણમાં તાપમાન વધીને 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાને કારણે બાબા બર્ફાનીનાં દર્શન મુશ્કેલ થઇ જવાની શક્યતાઓ છે. રક્ષાબંધન સુધી અંદાજે બે મહિના ચાલનારી અમરનાથ યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. આ વર્ષે અમરનાથની યાત્રા કુલ પંચાવન દિવસો સુધી ચાલશે. 21 ઓગસ્ટ એટલે રક્ષાબંધનનાં દિવસે યાત્રાનાં અંતિમ દર્શન થશે. યાત્રાળુઓની સંખ્યાને જોતા અત્યારસુધીમાં બે લાખથી વધારે શ્રદ્ધાળુઓની નોંધણી થઈ ચુકી છે. નોંધણીની પ્રક્રિયા અઢી મહિના પહેલા શરૂ થઇ ચૂકી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
