25 ફેબ્રુઆરીથી આંબેડકર મ્યુઝિકલ શો યોજાશે, CM કેજરીવાલની જાહેરાત!
CM અરવિંદ કેજરીવાલે ભીમરાવ આંબેડકરના જીવન પર બનેલા મ્યુઝિકલ ડ્રામા અંગેના કાર્યક્રમોમાં ફેરફારની જાહેરાત કરી છે.
નવી દિલ્હી : CM અરવિંદ કેજરીવાલે ભીમરાવ આંબેડકરના જીવન પર બનેલા મ્યુઝિકલ ડ્રામા અંગેના કાર્યક્રમોમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી યોજાનાર છે, જેમાં દરરોજ સાંજે 4 અને 7 વાગ્યે 2 શો થશે. શો ટિકિટ ફ્રી રહેશે. અમારી પાસે સીટ સીમિત હોવાથી અગાઉથી બુકિંગ કરાવવું પડશે. દિલ્હી સરકારે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના જીવન પર નાટક તૈયાર કરાવ્યુ છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આઝાદીના 75માં વર્ષ નિમિત્તે આ સંગીતમય નાટકનું આયોજન કરી રહી છે. જેથી દેશ બાબા સાહેબ અને આધુનિક ભારતના નિર્માણમાં તેમના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે. લોકોએ તેમના વિચારોને સમજવા જોઈએ અને મહેસુસ જોઈએ કે આજે આપણે જે સુખમાં જીવી રહ્યા છીએ તેના માટે બાબા સાહેબે કેટલું દુઃખ સહન કર્યું હતું.
સીએમે કહ્યું કે બાબા સાહેબના વારસાને દરેક બાળક સુધી પહોંચાડવા માટે દિલ્હી સરકાર આ ભવ્ય નાટકનું આયોજન કરી રહી છે. દિલ્હી સરકાર દેશના લોકોને બાબાસાહેબના જીવન અને આધુનિક ભારતનો પાયો નાખવામાં તેમના યોગદાનથી વાકેફ કરી રહી છે. જણાવી દઈએ કે કેજરીવાલ સરકારે બાબાસાહેબ ડૉ. આંબેડકરની 65મી પુણ્યતિથિ પર આ સંગીત નાટક બનાવવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે કોરોનાને કારણે આંબેડકર મ્યુઝિક શો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ નાટક અગાઉ 5 જાન્યુઆરીથી શરૂ થવાનું હતું, જેની જાહેરાત દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કરી હતી.