અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુ
એનડીએ સહયોગી દળ શિવસેના અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે રવિવારે સાફ કહ્યું છે કે તેમના જુના સાથી ગઠબંધન નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી તેમને કચડી નાખશે.
એનડીએ સહયોગી દળ શિવસેના અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે રવિવારે સાફ કહ્યું છે કે તેમના જુના સાથી ગઠબંધન નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી તેમને કચડી નાખશે. તેમને એવું પણ કહ્યું કે ચૂંટણી પહેલા જો ગઠબંધન થાય તો ભાજપ આ વાતની પુરી કોશિશ કરશે કે તેમના સાથી ચૂંટણીમાં જીત નોંધાવે. અમિત શાહે આ નિવેદન લાતુર, ઓશમાનાબાદ, હિંગોળી અને નાદેરથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા આપ્યું હતું.
આ પણ વાંચો: અમિત શાહને ફસાવવા માટે કોંગ્રેસે કર્યો હતો CBIનો ઉપયોગઃ સ્મૃતિ ઈરાની

અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી
અમિત શાહે કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓને શિવસેના સાથે ગઠબંધન અંગે કોઈ પણ પ્રકારની દુવિધામાં નહીં પડવું જોઈએ. જો સાથી સાથે આવશે તો અમે ચૂંટણીમાં તેમની જીત નક્કી કરાવીશુ પરંતુ જો તેઓ ગઠબંધન નહીં કરે તો તેમને ચૂંટણીમાં હરાવીશુ. પાર્ટીના કાર્યકર્તાઓને દરેક બૂથની તૈયારી શરુ કરી દેવી જોઈએ. ધ્યાન આપવા જેવી બાબત છે કે અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે 48 લોકસભા સીટોમાંથી 40 સીટો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભાજપ અને શિવસેના સામસામે
સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ગઠબંધન જયારે થવાનું હશે ત્યારે થશે પરંતુ આપણે 48 સીટો પર તૈયારી શરુ કરી દેવી જોઈએ. જો ગઠબંધન થશે ત્યારે આપણા પ્રયાસનો ફાયદો સાથીઓને મળશે. પરંતુ જો ગઠબંધન નહીં થયું તો 48 લોકસભા સીટોમાંથી 40 સીટો જીતવાનું લક્ષ્ય રાખીશુ. અમિત શાહના નિવેદન થી નારાજ શિવસેનાએ કહ્યું કે ભાજપા અહંકારી છે. શિવસેનાએ કહ્યું કે તેઓ કોઈ પણ પડકાર લેવા માટે તૈયાર છે.

ભાજપ ઇવીએમમાં ગરબડી કરી શકે છે
શિવસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એવું લાગે છે કે ભાજપને એવા લોકોનો સાથ જોઈએ છે, જેઓ હિંદુત્વના સમર્થક હોય. હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ભાજપને તેની જગ્યા બતાવી દીધી છે. મહારાષ્ટમાં પણ લોકો એવું જ કામ કરશે. શિવસેનાએ એવું પણ કહ્યું કે જો ભાજપ 40 સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે તેનો મતલબ કે તેઓ ઈવીએમ ગરબડી પર ભરોષો કરી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
