શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની ‘બલ્લે'
એનડીએના બે મુખ્ય ઘટકદળો જેડીયુ અને આરએલએસપીમાં એકબીજા ઉપર ચાલી રહેલા આરોપો પ્રત્યારોપો વચ્ચે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સીટોની વહેંચણી માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે.
2019ની લોકસભા ચૂંટણીના બરાબર પહેલા બિહાર એનડીએમાં સીટોની વહેંચણમી અંગે ઘમાસાણ ચાલી રહ્યુ છે. એનડીએના બે મુખ્ય ઘટકદળો જેડીયુ અને આરએલએસપીમાં એકબીજા ઉપર ચાલી રહેલા આરોપો પ્રત્યારોપો વચ્ચે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સીટોની વહેંચણી માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. સૂત્રો અનુસાર આ નવા ફોર્મ્યુલાથી જ્યાં આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને તગડો ઝટકો લાગી શકે છે. વળી, લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાન માટે આમાં મોટુ ખુશખબરી છે. શાહના આ ફોર્મ્યુલાને જ બિહાર એનડીએમાં સીટોની વહેંચણીનો અંતિમ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

આ છે શાહનું સીટોનું ગણિત
સૂત્રોથી મળેલી માહિતી મુજબ આ ફોર્મ્યુલા અંગે જે સૌથી મોટા સમાચાર છે તે એ છે કે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને ગઠબંધનમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એટલે કે બિહારમાં એનડીએ હવે ઉપેન્દ્ર કુશવાહા વિના જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું મન બનાવી ચૂકી છે. અમિત શાહની નવી ફોર્મ્યુલા હેઠળ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ બરાબર-બરાબર સીટો પર ચૂંટણી લડશે. બંને વચ્ચે 17-17 સીટો પર ચૂંટણી લડવા માટે સંમતિ બની છે. રામવિલાસ પાસવાન માટે શાહના ફોર્મ્યુલામાં સારા સમાચાર છે. ગઠબંધનમાં તેમને ચૂંટણી લડવા માટે 6 સીટો આપવામાં આવશે. વર્તમાનમાં રામવિલાસ પાસવાનની પાર્ટીના 5 લોકસભા સાંસદ છે.

પહેલા તેજસ્વી અને હવે શરદ યાદવ
એનડીએમાં બની રહેવા અંગે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભાજપે ઉપેન્દ્ર કુશવાહાને ગઠબંધન હેઠળ બે સીટો પર ચૂંટણી લડવાની ઓફર આપી હતી. જે અંગે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બિહારમાં સીટો અંગે ચાલી રહેલી રસ્સાકશી વચ્ચે ઉપેન્દ્ર કુશવાહા થોડા દિવસો પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવ અન લોકતાંત્રિક જનતા દળના અધ્યક્ષ શરદ યાદવ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ઉપેન્દ્ર કુશવાહા એનડીએથી અલગ થઈને મહાગઠબંધનમાં શામેલ થઈ શકે છે. ભાજપ પણ કુશવાહાના પોતે જ એનડીએથી અલગ થવાના એલાનની રાહ જોઈ રહ્યા છે.

જેડીયુ-આરએલએસપી વચ્ચે છેડાયુ છે ઘમાસાણ
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી અને લોકજનશક્તિ પાર્ટી સાથે તેમનુ ગઠબંધન જળવાઈ રહેશે પરંતુ જેડીયુ સાથે તેમનુ કોઈ ગઠબંધન નથી. 2020માં મુખ્યમંત્રી પદનો દાવેદાર કોઈ પણ હોઈ શકે છે. પટનામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કુશવાહાએ કહ્યુ કે જેડીયુ સાથે ગઠબંધન કરાવવુ હોય તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે પહેલ કરવી પડશે અને પૂછવુ પડશે કે મુખ્યમંત્રી નીતિશકુમારે મારા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કેમ કર્યો. આનાથી હું હર્ટ છું. કુશવાહાએ કહ્યુ કે સીએમે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ. જો તેઓ કોઈ સ્પષ્ટતા આપવા ઈચ્છતા હોય તો જનતા વચ્ચે આપે.

કુશવાહા કરી શકે છે મોટુ એલાન
જેડીયુ અને આરએલએસપી વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. બંને પક્ષોના નેતા એકબીજા પર નિવેદનોના બોમ્બ ફોડી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણની શરૂઆત તે સમયે થઈ જ્યારે દિલ્લીમાં અમિત શાહે એલાન કર્યુ કે બિહારમાં ભાજપ અને જેડીયુ સરખી સીટો પર ચૂંટણી લડશે. આ એલાનના બરાબર પછી ઉપેન્દ્ર કુશવાહા અને તેજસ્વી યાદવની મુલાકાત થઈ, ત્યારબાદ રાજકીય સમાચારો નીકળવા લાગ્યા. થોડા દિવસો પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ જ્યારે શરદ યાદવ સાથે મુલાકાત કરી તો લોજપા નેતા ચિરાગ પાસવાને કહ્યુ હતુ કે વિપક્ષી દળોના નેતાઓ આ રીતની મુલાકાતો યોગ્ય નથી. હવે માનવામાં આવી રહ્યુ છે કે કુશવાહા 2019 માટે ટૂંક સમયમાં કોઈ મોટુ એલાન કરી શકે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
