અત્યારે ભાજપના અધ્યક્ષ જ બની રહેવા માંગે છે અમિત શાહ, નહિ બને મંત્રીઃ સૂત્ર
અમિત શાહ ભાજપના અધ્યક્ષ પદે જ રહેવા ઈચ્છે છે. સૂત્રોના હવાલાથી એ માહિતી મળી છે.
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે બીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે ઘણા મંત્રી પણ શપથ લેશે. વળી, મંત્રી મંડળમાં કયા કયા નેતાઓને જગ્યા મળશે તે વિશે અટકળો વધી ગઈ છે. સૌથી વધુ ચર્ચા ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિશે થઈ રહી છે કે શું તે મોદી કેબિનેટમાં શામેલ થશે કારણકે જો આમ થાય તો ભાજપને નવા અધ્યક્ષની પસંદગી કરવી પડે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી અમિત સાથે વિશે એક સમાચાર આવી રહ્યા છે.

ભાજપના અધ્યક્ષ પદ પર જ રહેવા ઈચ્છે છે શાહઃ સૂત્ર
અમિત શાહ ભાજપના અધ્યક્ષ પદે જ રહેવા ઈચ્છે છે. સૂત્રોના હવાલાથી એ માહિતી મળી છે. જો કે આ વિશે અટકળોનું બજાર ગરમ છે કે શાહને મોદી કેબિનેટમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ પાર્ટી તરફથી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. સાંસદ ચૂંટાયા બાદ અમિત શાહે કાલે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. શાહ ગુજરાતની ગાંધીનગર સીટથી ચૂંટાઈને આવ્યા છે.

શાહને મંત્રી બનાવવા વિશે અટકળો વધી
શાહના મંત્રી બનવાની સ્થિતિમાં ભાજપને નવા અધ્યક્ષની ચૂંટણી કરવાની રહેશે. એવામાં જે પી નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવનું નામ આ રેસમાં સૌથી આગળ બતાવવામાં આવી રહ્યુ છે. બુધવારે કેબિનેટમાં શામેલ થનારા મંત્રીઓના નામ પર ચર્ચા માટે શાહ અને પીએમ મોદી વચ્ચે 4 કલાકથી વધુ બેઠક ચાલી હતી. વળી, ગુરુવારે પણ અમિત શાહ પીએમ મોદીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહના ઘરે ભાજપના ઘણા નેતાઓની અવરજવર ચાલી રહી છે. આ તમામ ઘટનાક્રમ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

સહયોગી પક્ષોમાંથી એક એક મંત્રી શપથ લેશેઃ શિવસેના
સૂત્રોના હવાલાથી એ પણ સમાચાર આવી રહ્યા છે કે સંગઠનના અમુક નેતાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ કે સહયોગી પક્ષોના એક-એક મંત્રીના શપથ લેવા પર સંમતિ બની છે. સંજય રાઉતે કહ્યુ કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ સાવંતનું નામ આપ્યુ છે જે મંત્રીપદના શપથ લેશે. તમને જણાવી દઈએ કે અરવિંદ સાવંતે સાઉથ મુંબઈથી કોંગ્રેસના મિલિન્દ દેવડાને હરાવ્યા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
