અમૃતસરના મેયર કરમજીત સિંહ રિંટુ AAPમાં જોડાયા, ચૂંટણીના 4 દિવસ પહેલા કેજરીવાલનો થામ્યો હાથ
પંજાબ વિધાનસભા ચૂંટણીના મતદાનના 4 દિવસ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને 'બૂસ્ટર ડોઝ' મળ્યો. અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુ પાર્ટીમાં સામેલ થયા. આજે રિન્ટુએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજ
પંજાબ વિધાનસભા ચૂંટણીના મતદાનના 4 દિવસ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને 'બૂસ્ટર ડોઝ' મળ્યો. અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુ પાર્ટીમાં સામેલ થયા. આજે રિન્ટુએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં સભ્યપદ લીધું.

આ દરમિયાન કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન પણ હાજર હતા. તેમણે કરમજીતસિંહ રિન્ટુનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું કે મારું આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવું પંજાબીઓ માટે સારું રહેશે.
તમને જણાવી દઈએ કે AAP નેતાઓએ રિન્ટુને સફેદ સાફો પહેરાવ્યો હતો, જેના પર પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની તસવીરો હતી.












Click it and Unblock the Notifications
