For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શકે તેમ નથી: અણ્ણા હજારે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kiran bedi
નવી દિલ્હી, 1 ઓક્ટૉબર: અરવિંદ કેઝરીવાલથી અલગ પડ્યા બાદ આજે ગાંધીવાદી અણ્ણા હઝારે પોતાના નવા સંગઠનનું એલાન કરી શકે છે તે પોતાના આંદોલનને ફરી એકવાર નવી સેના સાથે ચલાવવાની ઘોષણા કરવા માટે પૂરી તૈયારી કરી લીધી છે.

ટીવી ચેનલો પર જોવા મળતા સમાચારો મુજબ અણ્ણાએ પોતાની નવી સેના તૈયાર કરી લીધી છે અને આંદોલન કેવી રીતે અને કઇ દિશામાં આગળ વધશે. આ અંગે તેમની રૂપરેખા પણ તૈયાર છે. મળતી માહિતી મુજબ આ વખતે ટીમ અણ્ણાની સેનાપતિ કિરણ બેદી હશે. શનિવારથી અણ્ણા દિલ્હીમાં હાજર છે.

આ પહેલાં તેમને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શકે તેમ નથી માટે તે કોઇ રાજકિય સંગઠન બનાવશે ના તો રાજકારણમાં જંપલાવશે. કારણ કે રાજકારણ ગંદકીથી ખદબદી રહ્યું છે. જો રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શક્યો હોત તો દેશમાં ભષ્ટ્રાચારનો જન્મ જ થયો ના હોત.

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે તેમણે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા તેમની સાથે છે અને પ્રજાની જીત થશે.

English summary
The anti-graft activist Anna Hazare's new team taking shape under Kiran Bedi said News Channels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X