અણ્ણાના વધુ એક સહયોગી સુરેશ પઠારે સાથ છોડ્યો

સમગ્ર ઘટનાક્રમ પર સતત નઝર રાખનારાઓનું માનવું છે કે ભષ્ટ્રાચાર વિરોધી આંદોલન પર અણ્ણાની પકડ સતત ઢીલી પડી રહી છે. સુરેશ પઠારે ટિ્વટરના માધ્યમથી અણ્ણાના સંદેશને જનતા સુધી પહોંચાડતા હતા. જો કે અણ્ણાના પૂર્વ બ્લોગર રાજૂ પારૂલેકરનો આરોપ છે કે પઠારેએ રાજીનામું આપ્યું નથી પણ ભષ્ટ્રાચારના આરોપોને કારણે તેમણે નિકાળવવામાં આવ્યા છે.
પઠારેને હટાવવાનું કારણ તેમના પર લાગેલા ભષ્ટ્રાચાર અને ગોટાળાના આરોપોને પણ માનવામાં આવે છે. પઠારે પર અહમદનગર જિલ્લાના રેત માફિયા સાથે સંબંધો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપોના કારણે ગ્રામસભાએ 22 જાન્યુઆરી 2009માં સુરેશ પઠારેને બધા હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને કલેક્ટર પાસે માંગણી કરવામાં આવી હતી કે પઠારે વિરૂદ્ધ કરવામાં આવે.
ભષ્ટ્રાચાર વિરોધી આંદોલન દરમિયાન એક સંસ્થાએ સુરેશ પઠારેને 35 હજારની કિંમતનો આઇફોન ભેટ આપ્યો હતો. આઇફોન આપવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પઠારેના વર્તનના કારણે અણ્ણાનો બ્લોગ લખનાર રાજૂ પરૂલેકર પણ તેમનાથી દૂર થઇ ગયો હતો.
અણ્ણાની સંસ્થા ભષ્ટ્રાચાર વિરોધી ન્યાસના પદાધિકારીઓ સાથે પઠારેના સંબંધો બગડ્યા છે. આ તમામ ફરિયાદો અણ્ણા સુધી પહોંચતી હતી. આરોપોના કારણે અણ્ણા પઠારેને પોતાનાથી દૂર કરી ચૂક્યા હતા, પરંતુ ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું અને અણ્ણાએ સુરેશને પોતાની પાસે બોલાવી લીધા હતા.












Click it and Unblock the Notifications
