NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!
NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મોટું નિવેદન આપ્યું છે. એનઆરસી જાગરુકતા કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370નો બંગાળ સાથે ખાસ સંબંધ છે. પશ્ચિમ બંગાળથી જ આર્ટિકલ 370 હટાવવાનો અવાજ ઉઠ્યો હતો. તેમણે જ એક દેશ, એક સંવિધાનનો નારો બુલંદ કર્યો હતો. શાહે કહ્યું કે જ્યાં બલિદાન થયાં મુખરજી થયા તે કાશ્મીર આપણું છે. આની સાથે જ એનઆરસીને લઈને અમિત શાહે કહ્યું કે હિન્દુ શરણાર્થિઓએ બંગાળ છોડવું નહિ પડે.

અમિત શાહે કોલકાતામાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે હું આજે તમામ હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ અને ઈસાઈ શરણાર્થિઓને ભરોસો અપાવવા માંગું છું કે ભારત છોડવા માટે કેન્દ્ર તરફથી તમને કોઈ દબાણ કરવામાં નહિ આવે. તમે કોઈપણ પ્રકારની અફવા પર ભરોસો ન કરો. એનઆરસી પહેલા અણે નાગરિકતા સંશોધન બિલ લાવશું જે આ વાતને આશ્વસ્ત કરશે કે આ લોકો ભારતની નાગરિકતા મેળવે. શાહે આ અવસર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર તીખા હુમલા બોલ્યા.
મમતા બેનરજી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે મમતા કહી રહ્યાં છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગૂ નહિ થવા દે, પરંતુ હું તમને ભરોસો અપાવવા માંગું છું કે એક-એક ઘૂસણખોરને ભારતથી બહારનો રસ્તો દેખાડવામાં આશે. તમે જાણો છો કે જ્યારે તેઓ વિપક્ષમાં હતાં ત્યારે લેફ્ટ સત્તામાં હતા, તે હંમેશાથી આ વાત ઉઠાવતાં હતાં કે ઘુસણખોરોને ભારતથી બહાર કરવા જોઈએ. જણાવી દઈએ કે દેશના ગૃહમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ અમિત શાહ પહેલીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
