પાક.ને જવાબ આપવા, કાશ્મીર પહોંચ્યા આર્મી ચીફ અને કમાન્ડર
જાણો કેમ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત હાલ કાશ્મીરમાં છે? અને પાક. દ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગ અંગે સેના કેવી રીતે જવાબ આપી શકે છે.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સમેત સેનાના સાત કમાન્ડર્સ આ સમયે કાશ્મીરમાં હાજર છે. આ તમામ લોકો કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. જો કે આ ખબરની ગોપનીયતાને જોતા હાલ આટલી જ માહિતી પ્રાપ્ત થઇ છે. આ તમામની વચ્ચે પાકિસ્તાને નૌશેરા સ્કેટરમાં આજે સવારે યુદ્ધવિરામનું ઉલ્લંધન કરીને જોરદાર ફાયરિંગ શરૂ કર્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. અને બીએસએફનો એક જવાન ઇજાગ્રસ્ત પણ થયો છે. નોંધનીય છે કે જનરલ રાવતે થોડા દિવસ પહેલા જ જણાવ્યું હતું કે કાશ્મીરમાં સેના ડર્ટી વોરનો સામનો કરી રહી છે. અને તેમને આ માટે નવી રીતે લડવું પડશે. સાથે જ તેમણે હ્યૂમન શીલ્ડ જેવા પ્રયાસને પણ આવકાર્યો હતો. આર્મી ચીફ અને કમાન્ડર્સ સોપોરમાં થયેલા હુમલા પછી કાશ્મીરમાં હાજર છે. તમને જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરના સોપોર સેક્ટરમાં પોલિસ અને આંતકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 આંતકવાદીઓની મોત થઇ છે. અને આ આંતકીઓએ પોલિસ કેમ્પ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.

જે રીતે જાણકારી મળી છે તે તે મુજબ સેનાએ નક્કી કર્યું છે કે તે ઠંડી શરૂ થતા પહેલા કાશ્મીરમાં અલગ અલગ સ્થળે થઇ રહેલી આંતકી ગતિવિધિઓનો સફાયો કરશે. કાશ્મીરમાં હાલ જે પરિસ્થિતિ છે તે એક વર્ષની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી એક છે. શનિવારે ઇન્ડિયન આર્મીએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સબજાર ભટને મોતને ઘાટ ઉતાર્યો છે. વધુમાં સેનાએ 4000 સૈનિકોને કાશ્મીરમાં ઉતાર્યા છે. અને ઠંડી શરૂ થાય તે પહેલા સેના આંતકીઓનો ખાતમો કરવાનું વિચારી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હાલ કાશ્મીરમાં 200 જેટલા આંતકીઓ સક્રિય છે. સેના હાલ જે ઓપરેશન ચલાવી રહી છે તેમાં અત્યાર સુધી 10 આતંકીઓને મારવામાં સફળતા મળી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ સેના આવા ઓપરેશન દ્વારા આંતકીઓનો ખાતમો કરવાની છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
