પાક.ને જવાબ આપવા, કાશ્મીર પહોંચ્યા આર્મી ચીફ અને કમાન્ડર
જાણો કેમ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત હાલ કાશ્મીરમાં છે? અને પાક. દ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગ અંગે સેના કેવી રીતે જવાબ આપી શકે છે.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સમેત સેનાના સાત કમાન્ડર્સ આ સમયે કાશ્મીરમાં હાજર છે. આ તમામ લોકો કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. જો કે આ ખબરની ગોપનીયતાને જોતા હાલ આટલી જ માહિતી પ્રાપ્ત થઇ છે. આ તમામની વચ્ચે પાકિસ્તાને નૌશેરા સ્કેટરમાં આજે સવારે યુદ્ધવિરામનું ઉલ્લંધન કરીને જોરદાર ફાયરિંગ શરૂ કર્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. અને બીએસએફનો એક જવાન ઇજાગ્રસ્ત પણ થયો છે. નોંધનીય છે કે જનરલ રાવતે થોડા દિવસ પહેલા જ જણાવ્યું હતું કે કાશ્મીરમાં સેના ડર્ટી વોરનો સામનો કરી રહી છે. અને તેમને આ માટે નવી રીતે લડવું પડશે. સાથે જ તેમણે હ્યૂમન શીલ્ડ જેવા પ્રયાસને પણ આવકાર્યો હતો. આર્મી ચીફ અને કમાન્ડર્સ સોપોરમાં થયેલા હુમલા પછી કાશ્મીરમાં હાજર છે. તમને જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરના સોપોર સેક્ટરમાં પોલિસ અને આંતકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 આંતકવાદીઓની મોત થઇ છે. અને આ આંતકીઓએ પોલિસ કેમ્પ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.

જે રીતે જાણકારી મળી છે તે તે મુજબ સેનાએ નક્કી કર્યું છે કે તે ઠંડી શરૂ થતા પહેલા કાશ્મીરમાં અલગ અલગ સ્થળે થઇ રહેલી આંતકી ગતિવિધિઓનો સફાયો કરશે. કાશ્મીરમાં હાલ જે પરિસ્થિતિ છે તે એક વર્ષની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી એક છે. શનિવારે ઇન્ડિયન આર્મીએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સબજાર ભટને મોતને ઘાટ ઉતાર્યો છે. વધુમાં સેનાએ 4000 સૈનિકોને કાશ્મીરમાં ઉતાર્યા છે. અને ઠંડી શરૂ થાય તે પહેલા સેના આંતકીઓનો ખાતમો કરવાનું વિચારી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હાલ કાશ્મીરમાં 200 જેટલા આંતકીઓ સક્રિય છે. સેના હાલ જે ઓપરેશન ચલાવી રહી છે તેમાં અત્યાર સુધી 10 આતંકીઓને મારવામાં સફળતા મળી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ સેના આવા ઓપરેશન દ્વારા આંતકીઓનો ખાતમો કરવાની છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
