હિટ એંડ રન: સપા નેતાના દારુડિયા પુત્રએ 10 ને કચડ્યા, 4 ના મોત

આયુષ રાવત સપાના પૂર્વ સાંસદ અને નિખિલ મોટા બિઝનેસમેનના નબીરાઓ છે. પોલિસના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે બંને નશામાં ધૂત હતા...

ફરીથી એક નેતાના દારુડિયા પુત્રએ નશામાં ધૂત બનીને ભયંકર દુર્ઘટનાને અંજામ આપ્યો છે. લખનઉના ડાલીબાગ વિસ્તારની સામે બનેલી ઝૂંપડીઓમાં શનિવારે મોડી રાતે દારુના નશામાં ધૂત બે નબીરાઓએ 10 લોકોને કચડી દીધા. આ ભયંકર દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે ઘાયલોને ટ્રોમા સેંટરમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

hit and run

પોલિસે આ ઘટનાને અંજામ આપનાર ગોમતીનગરના આયુષ રાવત અને નિખિલની ધરપકડ કરી લીધી છે. આયુષ રાવત સપાના પૂર્વ સાંસદ અને નિખિલ મોટા બિઝનેસમેનનો પુત્ર છે. પોલિસના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે બંને નશામાં ધૂત હતા. બંનેએ એટલો બધો દારુ પીધો હતો કે તેમને ખબર જ નહોતી કે આટલી મોટી દુર્ઘટના બની ગઇ છે.

પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો રાતે 1.30 વાગે લગભગ ગન્ના સંસ્થા તરફથી આવી રહેલી કાર બેકાબૂ બની ઝૂંપડીઓમાં ઘૂસી ગઇ. તે બીજા છેડા સુધી લોકોને કચડતી રહી અને લોખંડની પાઇપ સાથે ટકરાઇને પલટાઇ ગઇ. આ દુર્ઘટનાના શિકાર મોટાભાગના લોકો બહરાઇચના મટિહા ગામના છે. પોલિસે બધા મૃતકોના મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X