ભ્રષ્ટાચારીઓને કેવી રીતે પકડાવશો 'આપ', હેલ્પલાઇન નંબર જારી
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા નવો એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જારી કરી દીધો છે. આના દ્વારા જનતા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કોઇ પણ મામલાની ફરિયાદ કરાવી શકશે. નવો એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર છે 011- 27357169 જેની પર ફરિયાદ નોંધાવી શકાશે. આ સેવા સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલી રહેશે.
હેલ્પલાઇન દ્વારા લોકોને બતાવવામાં આવશે કે લાંચ માંગનારને કેવી રીતે રંગે હાથે પકડાવવામાં આવે, તેના માટે કાયદેસર સ્ટિંગ કરવાની રીત બતાવવામાં આવશે. કેજરીવાલની માનીએ તો હવે દિલ્હીનો દરેક નાગરિક એન્ટી કરપ્શનનો ઇન્સ્પેક્ટર રહેશે. અને ભ્રષ્ટાચારીઓની અંદર ડર પેદા થઇ જશે.

મુખ્યમંત્રી કેજરીવાલે નવા હેલ્પલાઇન નંબરની શરૂઆત કરતા જણાવ્યું કે ઓડિયો રેકોર્ડિંગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે રેકોર્ડિંગ અથવા સ્ટિંગ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સુધરી જાઓ અથવા જેલ જવા માટે તૈયાર થઇ જાવ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
