For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનો પલટવાર, 'આપ'થી ગભરાઇ ગયા છે મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. કેજરીવાલે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી આપની ટિકા પર ઉલટવાર કરતા જણાવ્યું કે મોદી આપથી ડરી ગયા છે. કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોદીને જવાબ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ આપ અને કેજરીવાલને નિશાનો બનાવ્યા હતા. મોદીએ જણાવ્યું કે જે અણ્ણા હઝારેનો થઇ શક્યો તે દિલ્હીના લોકોનો શું થવાનો. આની પર કેજરીવાલે આજે મોદીને જવાબ આપતા જણાવ્યું કે અણ્ણાના નામનો સૌથી વધારે ખોટો ઉપયોગ ભાજપ અને કોંગ્રેસે જ કર્યો છે.

કેજરીવાલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીથી ભયભીત થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે આજે દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. અરવિંદ કેજરીવાલ જુદા જુદા વિસ્તારોમાં રોડ શૉ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી પર આ નિવેદન આપ્યું હતું.

aap
નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરના રોજ સુલતાનપુર મજ્રામાં રેલીને સંબોધી હતી, દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે આપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 'ગાંધીજી બાદ અણ્ણાજીએ દેશમાં જોરદાર ભ્રષ્ટાચાર વિરુધ્ધ આંદોલન ચલાવ્યું હતું. પરંતુ કેટલાંક લોકોએ રાજનૈતિક લાભ ખાટવા માટે તેમનો વિશ્વાસઘાત કર્યો. કોંગ્રેસ એક હાથ બતાવે છે અને પછી બે હાથેથી લૂંટે છે. અને હવે તો ઝાડુવાળા આવ્યા છે અને તેઓ ઝાડું મારી મારીને લૂંટે છે.'

English summary
Aam Admi Party leader Arvind Kejriwal answered to Narendra Modi in delhi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X