દેશને ‘બનાના રિપબ્લિકન' કહેનાર વાઢેરા માફી માગે: કેજરીવાલ

બીજી બાજુ ડીએલએફ અને વાઢેરાએ તમામ આરોપોને અર્થવિહોણા ગણાવ્યા હતા. જોકે કેજરીવાલે ખુલાસો કર્યો છે કે તેઓ આ અંગે વધુ ખુલાસો મંગળવારે કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાઢેરાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ‘મેંગો પીપલ ઇન બનાના રિપબ્લિક' જેવી ટિપ્પણી કરી હતી. વાઢેરાની આ ટિપ્પણી પર કેજરીવાલ અને કુમાર વિશ્વાસે જણાવ્યું હતુ કે ભારતને બનાના રિપબ્લિક કહીને તેમણે દેશનું અપમાન કર્યું છે જેના માટે તેમણે માફી માગવી જોઇએ.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જો તેમના આરોપો ખોટા સાબિત થશે તો તેઓ માનહાનીનો સામનો કરવા તૈયાર છે. ડીએલએફએ જણાવ્યું કે ‘વાઢેરા અથવા તેમની કંપની સાથે વ્યક્તિગત સંબંધ છે, અને તેમાં નૈતિકતા અને પારદર્શિતાના બધા જ માપદંડોનું પાલન કરાયું છે.'












Click it and Unblock the Notifications
