CM બન્યા કેજરીવાલ, જાણો કોને સોંપાયો કયો કાર્યભાર
નવી દિલ્હી, 28 ડિસેમ્બર: દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સત્તા સંભાળી લીધી છે. સચિવાલયમાં કેજરીવાલ સહિત તેમના તમામ છ કેબિનેટ મંત્રીઓએ કાર્યભાર સંભાળી લીધો છે. મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાન સાથે જ કેજરીવાલે કામ શરૂ કરી દીધું છે. સૌથી પહેલા તેમણે મંત્રીઓને તેમના કાર્યભાર સોંપી દીધા અને તેમને પણ કામ પર લગાવી દીધા છે.
કેજરીવાલના નજીકના રહેલા મનીષ સિસોદિયાને મંત્રીમંડળમાં નંબર-2નો પદ આપવામાં આવ્યું છે. તેમનીપાસે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે યુવાનોને પણ કમાન સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રી કેજરીવાલે મોટાભાગના મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે ગૃહ, નાણા, ઉર્જા અને સતર્કતા વિભાગ પોતાની પાસે રાખ્યા છે. દિલ્હીમાં વીજળીને લઇને તેઓ પહેલાથી આંદોલન કરતા રહ્યા છે.
તેમણે પહેલા પણ કહ્યું છે કે દિલ્હીમાં વીજળીને લઇને મોટા સુધારાની જરૂરીયાત છે તેમાં વીજળીના દરોને ઓછા કરવા અને ઝડપી ભાગતા મીટરોની તપાસ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ કારણે જ તેમણે ઉર્જા વિભાગ પોતાની પાસે રાખ્યું છે.
જાણો કેજરીવાલના મંત્રિમંડળમાં કોને સોંપાયું કયું કામ...

મંત્રીમંડળમાં નંબર-2 દરજ્જો
મનિષ સિસોદિયાએ પટપડગંજ વિધાનસભા બેઠકથી ભાજપના નકુલ ભારદ્વાજને 11478 વોટથી માત આપી હતી. તેમને પાર્ટીમાં નંબર 2નો દરજ્જો આપવામા આવ્યો છે. મનિષ સિસોદીયાને શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની પાસે મહેસૂલ, પીડબ્લ્યુડી અને શહેરી વિકાસની પણ જવાબદારી રહેશે.

એકમાત્ર મહિલા મંત્રી
દિલ્હીની સૌથી યુવા મંત્રી રાખી બિરલાને મહિલા અને બાળ વિકાસની સાથે સમાજ કલ્યાણ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. તેઓ કેજરીવાલ મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા છે.

યુવાઓને મળ્યું સૂકાન
ઇન્જિનિયરમાંથી નેતા બનેલા સૌરભ ભારદ્વાજને પરિવહનની સાથે સાથે ચૂંટણી, ખાદ્ય અને આપૂર્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. દિલ્હીની પરિવહન વ્યવસ્થાને લઇને આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહી છે, હવે તેમની પાસે તક છે પોતાને સાબિત કરવાની.

અનુભવનો અભાવ
વ્યવસાયે આર્કિટેક્ટ સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યની સાથે સાથે ઉદ્યોગમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

આરામ નહીં માત્ર થશે કામ
માત્ર 12 સુધી ભણેલા ગિરિશ સોનીને અનુસૂચિત જાતિ અને જનજાતિ, રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. દિલ્હીની માદીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીતનારા ગિરિશ સોનીએ ભાજપના કૈલાશ સંકલાને હરાવ્યા હતા.

કાયદો સંભાળશે સોમનાથ ભારતી
આઇઆઇટીમાં અભ્યાસ કરનાર સોમનાથ ભારતીને કાયદાની સાથે સાથે કલા અને સંસ્કૃતિ વિભાગની જવાબદારી આપવામાં આવી છે.

પ્રમુખ વિભાગ પોતાની પાસે
મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહ, ઉર્જા, નાણા અને ટેક્સ, જળ બોર્ડ, પર્યાવણ, જેવા બાકી તમામ મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. તેનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે વીજળી અને પાણી અરવિંદની સરકારના મુખ્ય મુદ્દા છે. જોકે મહેસૂલ ક્ષેત્રે કેજરીવાલને સારી એવી સમજ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
