For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલાની 'બીજલી'ના મામલે કેજરીવાલને કોર્ટનું તેડું

|
Google Oneindia Gujarati News

Arvind kejriwal
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના પૂર્વ કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને દિલ્હીની કોર્ટે આજે સમન પાઠવ્યું છે. કેજરીવાલે દિલ્હીમાં વીજળીના ભાવ વધારા સામે આંદોલન છેડ્યું હતું. દરમિયાન તેમણે શીલા દીક્ષિત માટે અપમાનજનક શબ્દો વાપર્યા હતા.

દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતના રાજનૈતિક સચિવે અરવિંદ કેજરીવાલ સામે માનહાનિની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કોર્ટે કેજરીવાલને સમન પાઠવ્યું છે અને 20 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન શીલા દીક્ષિતને 'વીજળીના દલાલ' કહ્યા હતા. જેના માટે કેજરીવાલને શીલા દીક્ષિતે માનહાનીની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ બે દિવસની અંદર માફી માંગે નહીંતર તેમની સામે કાનૂની પગલા ભરવામાં આવશે.

જોકે તેના જવાબમાં કેજરીવાલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે શીલા દીક્ષિતે જેટલી માનહાનિની નોટિસ મોકલવી હોય તેટલી મોકલતા રહે હું તેમની અને તેમના સરકારની માનહાનિ કરતો રહીશ.

English summary
Arvind Kejriwal got summon from court today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X