For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ સરકારે વધાર્યુ મજૂરોનુ લઘુત્તમ વેતન, નવા દર 1 એપ્રિલથી લાગુ

દિલ્લીના અરવિંદ કેજરીવાલ સરકારે મજૂરોનુ લઘત્તમ વેતન વધાર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના અરવિંદ કેજરીવાલ સરકારે મજૂરોનુ લઘત્તમ વેતન વધાર્યુ છે. લઘુત્તમ વેતનના નવા દરો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લીમાં મજૂરોને મળતુ લઘુત્તમ વેતન દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા શ્રમિક વર્ગને લઘુત્તમ મજૂરી વધવાથી રાહત મળશે. આ વધારા સાથે અકુશળ શ્રમિકોનુ માસિક વેતન 16064થી વધીને, 16506 રૂપિયા, અર્ધ-કુશળ શ્રમિકોના માસિક વેતન 17,693થી વધીને 18,187 રૂપિયા થયુ છે. કેજરીવાલ સરકાર દિલ્લીના શ્રમિકોને રાહત આપવા માટે દર 6 મહિને મોંઘવારી ભથ્થુ વધારે છે.

kejriwal

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે દિલ્હીના અકુશળ, અર્ધ-કુશળ અને અન્ય કામદારોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ તમામ કામદારો અને કર્મચારીઓને વધેલા દર સાથે ચૂકવણી સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, ગરીબો અને મજૂર વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને વધતી મોંઘવારી વચ્ચે આ મોટુ પગલુ લેવામાં આવ્યુ છે. કારકુન અને સુપરવાઈઝર વર્ગના કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. તેમણે કહ્યુ કે અસંગઠિત ક્ષેત્રના આવા કામદારોને મોંઘવારી ભથ્થુ રોકી શકાય નહિ જેમને સામાન્ય રીતે માત્ર લઘુત્તમ વેતન મળે છે. તેથી દિલ્હી સરકારે મોંઘવારી ભથ્થુ ઉમેરીને નવા લઘુત્તમ વેતનની જાહેરાત કરી છે.

મોંઘવારી ભથ્થા હેઠળ અકુશળ મજૂરોનો માસિક પગાર રૂ. 16064 થી વધારીને રૂ. 16506 કરવામાં આવ્યો છે, અર્ધ કુશળ કામદારોનો માસિક પગાર રૂ. 17693 થી વધારીને રૂ. 18187 કરવામાં આવ્યો છે, કુશળ કામદારોનો માસિક પગાર રૂ. રૂ.19473 થી વધીને રૂ.20019. આ સિવાય સુપરવાઈઝર અને કારકુન કર્મચારીઓના લઘુત્તમ વેતનના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં નોન-મેટ્રિક્યુલેટેડ કર્મચારીઓનો માસિક પગાર રૂ.17693 થી વધારીને રૂ.18187, મેટ્રિક, પરંતુ નોન-ગ્રેજ્યુએટ કર્મચારીઓનો માસિક પગાર 19473 થી રૂ.20019 અને સ્નાતક અને તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓનો માસિક પગાર રૂ.21,184 થી વધારીને રૂ. રૂ.21756 કરી દેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું કે જો કે અમે સરકારના ઘણા ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છીએ પરંતુ મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને અમે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે કોરોનાના કારણે સમાજનો દરેક વર્ગ આર્થિક રીતે પ્રભાવિત થયો છે. તેની ઉપર દાળ અને તેલ જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. મને આશા છે કે આ વધારો મજૂરોને મદદ કરશે. ઉપ મુખ્યમંત્રીએ કહ્યુ કે દિલ્હીમાં મજૂરોને ચૂકવવામાં આવતુ લઘુત્તમ વેતન દેશના અન્ય કોઈપણ રાજ્યની તુલનામાં સૌથી વધુ છે. તેમણે કહ્યુ કે કેજરીવાલ સરકાર દિલ્હીના તમામ કામદારોને રાહત આપવા માટે દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં સતત વધારો કરે છે.

English summary
Arvind Kejriwal government raises minimum wages of labourers, applicable from 1st April
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X