For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી વિરૂદ્ધ લડશે કેજરીવાલ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 2 જૂન: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સમાજસેવી અણ્ણા હજારેના પૂર્વ સહયોગી અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ રવિવારે પોતાના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાર્ટી આ અંગે નિર્ણય કરી શકે છે કે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ક્યાંથી ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. એવું જાણવા મળ્યું છે કે જો શીલા દિક્ષિત પોતાના ચૂંટણી ક્ષેત્ર બદલશે તો અરવિંદ કેજરીવાલ પણ પોતાનો ચૂંટણી વિસ્તાર બદલીને ચૂંટણી લડશે, એટલે કે શીલા દિક્ષિત જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી તે ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટી જ 12 વિધાનસભા વિસ્તારમાંથી 44 ઉમેદવારોની યાદી શોર્ટલીસ્ટ કરવામાં આવી છે જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહના નામ પણ સામેલ છે.

શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરીને અરવિંદ કેજરીવાલ સંદેશ આપવા માંગે છે કે નેતાઓ સરળતાથી જીતી શકે તેવી સીટ પસંદ કરે છે પરંતુ તે સતત ત્રણવાર ચૂંટણી જીતી રહેલા મુખ્યમંત્રી શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી લડીને આ સ્ટ્રેટેજીને તોડવા માંગે છે.

આમ આદમી પાર્ટીનું માનવું છે કે ચૂંટણી સમરમાં શીલા અને કેજરીવાલ આમને સામને આવી જતાં ચૂંટણી હાઇ વોલ્ટેજ થઇ જશે. દરેક બાજુ કોંગ્રેસ અને આપની ચર્ચા કરશે. આ બંને પાર્ટીઓની ચર્ચા થવાથી મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપાની ચર્ચા ઓછી થશે. જેનો ફાયદો આપ પાર્ટીને મળશે.

English summary
Arvind Kejriwal on Sunday set the ball rolling for a direct electoral fight with Sheila Dikshit in the coming Delhi Assembly elections choosing to contest from the constituency where the Delhi Chief Minister will file her nomination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X