કોરોના વાયરસને રોકવા ભારત પાસે 30 દિવસ, નહિતર ભયાનક હશે ત્રીજુ સ્ટેજ
ડૉક્ટરો અને મેડીકલ એક્સપર્ટ મુજબ ભારત પાસે આ વાયરસને રોકવા માટે 30 દિવસનો સમય છે.
કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતના 15 રાજ્યોમાં કોરોનાનુ સંક્રમણ ફેલાઈ ચૂક્યુ છે. આ વાયરસની ચપેટમાં સવાસો લોકો આવી ચૂક્યા છે. વળી, સમાચાર લખાવા સુધી આ વાયરસના કારણે ત્રણ મોત થઈ ચૂક્યા છે. જે સ્તરે પર ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે તે સેકન્ડ સ્ટેજનો છે. ડૉક્ટરો અને મેડીકલ એક્સપર્ટ મુજબ ભારત પાસે આ વાયરસને રોકવા માટે 30 દિવસનો સમય છે. જો 30 દિવસની અંદર આનના સંક્રમણને રોકવામાં ન આવ્યુ તો આનુ આગલુ સ્ટેજ ભયાનક હશે. કોરોના વાયરસનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક સ્ટેજ છે. આવો જાણીએ કેમ ભારત પાસે આ કોરોના વાયરસને રોકવા માટે છે માત્ર 30 દિવસ...

કોરોના વાયરસઃ આગામી 30 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
મેડીકલ એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો મુજબ ભારતમાં કોરોના વાયરસ હજુ પોતાના બીજા સ્ટેજમાં છે. એટલે કે હજુ સુધી માત્ર એ લોકો જ આ વાયરસથી સંક્રમિત થયા છે જે વિદેશ ફરીને આવ્યા છે અથવા સંક્રમિત દેશમાં ફરીને આવેલા લોકોના પરિવારના છે. એનો અર્થ એ કે હજુ આ બિમારી સ્થાનિક સ્તર પર એક વ્યક્તિથી બીજા વ્યક્તાં ફેલાઈ નથી. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના પ્રમુખ ડૉ. બલરામ ભાર્વગ અનુસાર આગામી 30 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણકે આ દરમિયાન આ વાયરસ પોતાના ત્રીજા સ્ટેજમાં પહોંચી શકે છે. આ 30 દિવસ નક્કી કરશે કે દેશમાં કોરોનાની અસર કેટલી હશે. વળી, આ 30 દિવસમાં નક્કી થશે કે કોરોનાને રોકવા માટે આપણી પહેલ, સાવધાની અને તૈયારી કેટલી કારગર સાબિત થઈ.

કોરોનાનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક
એક્સપર્ટના જણાવ્યા મુજબ કોરોના વાયરસ સ્ટેજમાં ફેલાય છે. પહેલા સ્ટેજમાં આ વાયરસ વિદેશમાંથી દેશમાં આવ્યો. ભારતમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો જ્યાં ચીનથી આવેલા ત્રણ દર્દીમાં કોરોના ટેસ્ટ પૉઝિટીવ જોવા મળ્યો. આ કોરોનોનુ પહેલુ સ્ટેજ હતુ. વળી, બીજા સ્ટેજમાં વિદેશથી આવેલ કોરોના વાયરસ ગ્રસિત દર્દીના સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાવુ શરૂ થઈ ગયુ. સંક્રમત વ્યક્તના સંપર્કમાં આવવાના કારણે ભારતના ઘણા રાજ્યોમાં લોકો આ વાયરસની ચપેટાં આવી ગયા છે. વળી, ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.

કેમ ત્રીજુ સ્ટેજ ખતરનાક છે
કોરોના વાયરસનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. આ સ્ટેજમાં આ સંક્રમણ સ્થાનિક રીતે ફેલાવા લાગે છે. એકથી બે, બેથી ત્રણ અને ધીમે ધીમે મોટી જનસંખ્યામાં ફેલાવા લાગે છે. મોટી જનસંખ્યામાં ફેલાતા આ ભયાનક રૂપ લઈ શકે છે. વળી, ચોથા સ્ટેજમાં આ વાયરસ મહામારીનુ રૂપ ધારણ કરી લે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
